________________
ભૂમકને
[ તૃતીય
કરછ તથા સૌરાષ્ટ્રના પ્રાંત પણ હતા. તેમાં ય સૌરાષ્ટ્ર મિનેન્ડરનું મૃત્યુ થયું તે જ સાલમાં અથવા તો તેની આગલી સાલમાં જ શુંગપતિ બળમિત્રને જીતી લેવાથી તેને પ્રાપ્ત થયો હતો. બાકી ગુજરાતનો ભાગ (અથવા જેને તે વખતે લાટ દેશ કે તેવા જ અન્ય નામથી ઓળખવામાં આવતો ) તેને આ છતથી મળ્યો નથી લાગત જ ૩૮ બળમિત્ર મરી ગયા બાદ પણ જ્યાં સુધી તેને ભાઈ ભાનુમિત્ર રાજગાદીએ હતો તેમ તે બલિષ્ઠ પણ હતું એટલે ત્યાં સુધી તે શુંગપતિને તાબે જ તે દેશ રહ્યો હત; બાકી તેનું મરણ ઈ. સ. પૂ. ૧૪૨ માં થતાં, ભૂમકના પુત્ર ક્ષત્રપ નહપાણે ગુજરાતવાળો ભાગ જીતી લઈ પિતાના પિતાના રાજ્યમાં ભેળવી દીધે લાગે છે. આ વખતે નહપાને જમાઈ રૂષભદત્ત પણ યુવાવસ્થામાં હોવાથી તથા કાંઈક લશ્કરી તાલીમ પામેલ હેવાથી સૈન્યમાં જોડાઈને પિતાના સસરાના જમણા હાથ જેવો થઈ પડ્યો હતો. તેણે પણ કેટ- લાક સૈન્ય સાથે તાપી નદીની દક્ષિણવાળો ભાગ જીતી લઈ આગળ કૂચ કરી હતી તથા ગોદાવરી નદીના મૂળવાળો ભાગ જેને તે સમયે ‘ગોવરધન સમય 'ના નામથી ઓળખવામાં આવતો હતો અને જ્યાં આગળ અંધ્રપતિ શાતકરણીઓની સત્તા જામી પડી હતી ત્યાંથી તેમને હચમચાવી મૂકી પાછા હઠવાની ફરજ પાડી હતી તથા તે મુલક ક્ષહરાટ સામ્રાજ્યમાં ભેળવી દીધો હતો.૩૯ આ સર્વ બનાવ ભૂમકના રાજ્યકાળ બનવા પામ્યા
હતા તેથી તેની છત તરીકે ઓળખવામાં વાંધો નથી. બાકી તે પ્રદેશ જીતવામાં તેના પુત્ર નહપાણુ તેમજ જામાતૃ રૂષભદત્તની જ પ્રેરણું મુખ્ય અંશે હતી તેટલી નેંધ તે લેવી જ ઘટે. એટલે જેમ ભૂમક પતે યુવાવસ્થામાં પિતાના બાદશાહ મિનેન્ડરને પ્રદેશ છતી આપવાને ઉપયોગી થઈ પડ્યો હતો, તેમ તેની પિતાની ઉત્તરાવસ્થામાં તેના પુત્ર અને જમાઈ તેને કાર ગત થઈ પડ્યા હતા. આ પ્રમાણે તેના રાજ્યવિસ્તારનું વર્ણન કહી શકાય.
વિદ્વાનોને અત્ર એવો મત છે કે ગુજરાત દેશમાં ભરૂચ જીલ્લાવાળો ભાગ બાદશાહ મિનેન્ડરના સમયે ભૂમકે જીતી લીધો હતો અને તેના પ્રમાણુ તરીકે તે ભાગમાંથી ભૂમક અને મિનેન્ટરના જડી આવતા સિક્કાઓને આગળ ધરે છે. પણ મારું માનવું એમ થયું છે. જેનું વર્ણન ઉપર કરવામાં આવ્યું છે કે તે ભાગ તે ભૂમ કના રાજકાળે તેના પુત્ર નહપાણે જીતી લીધે હતો; એટલે ભલે મિનેન્ડરના સિક્કા ત્યાંથી મળી આવે છે, છતાં તેનું રાજ્ય ત્યાં સુધી લંબાયું નહોતું એમ કહેવું પડશે. માત્ર સિક્કા મળી આવ્યાથી તે મુલક ઉપર તેનો અધિકાર હતો એમ કાંઈ નિશ્ચિતપણે કહી શકાય નહીં, કારણ કે એ કઈ સિદ્ધાંત નથી કે જે રાજ્યને સિક્કો હોય તે સિકકો તેની હદમાં જ માત્ર ગોંધાઈ રહેવો જોઈએ. જે તે નિયમ પ્રમાણે જ કામ લેવાતું હોય તો તે વેપારને ચારે તરફથી
છે. આ સિદ્ધાંત અટળ તરીકે કાંઈ માનવા જે ન જ ગણાય. તેના વિવેચન માટે આ પારામાં જ આગળ હકીક્ત વાંચે. તથા નીચેની ટી. નં. ૪૧ જુએ.
(૩૮ ) આ પ્રાંત ઉપર ભાનુમિત્રની સત્તા રહી હતી એવા પુરાવા જૈન સાહિત્યમાંથી મળી આવે છે. ( જુઓ કાલિકરસૂરિની કથાવાળો ભાગ.)
(૩૯) આ હકીકત નાસિકના અને જુનેરના શિલાલેખથી પુરવાર થાય છે. તેમાં નહપાણના જમાઈ રૂષભદત્તે અને પુત્રી દક્ષમિત્રાએ દાન કર્યાનું લખાણ છે.
(૪૦) દાનપત્રને સમય તેવા શિલાલેખમાં ને છે. જે સવની સાલો ભૂમકના રાજકાળની સાબિત થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com