________________
પરિચછેદ ]
ચષ્ઠણની જાતિ
૨૨૩
સાથે સંબંધ ધરાવે છે તે આ પુસ્તકે શુંગવંશના વર્ણનમાં જણાવ્યા છે, જ્યારે શ્રીમુખ અને ખારવેલને લગતી બીના છે તે તેમનાં જીવનચરિત્ર લખતી વખતે વર્ણવીશું. પણ અત્ર કહેવાની એટલી જરૂર છે કે મારા મત પ્રમાણે આ કન્વવંશી પ્રધાનોનું સ્થાન જ્યાં અને સર્વથી વિશેષ સંભવિત લાગ્યું ત્યાં,એટલે કે શુંગવંશી નૃપતિ, એના ઉત્તર ભાગ સાથે જોડ્યું છે, જ્યારે અન્યત્ર સ્થાને તે તેની તરફેણમાં અને વિરૂદ્ધમાં જતી દલીલોની ચર્ચા જ કરી છે. મતલબ કે, મેં મારી બુદ્ધિ પ્રમાણે તે તેમનાં સમય અને સ્થાનને નિર્ણય કરી નાંખે છે જ, પણ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર ગણાય છે જ. એટલે વાચકવર્ગ પાસે બધી વસ્તુસ્થિતિ રજૂ કરવી તે મારી ફરજ છે અને તે ઉપરથી જે વિચાર તેમણે બાંધે ઘટે તે બાંધે.
અત્રે આપણે નહપાનું વૃત્તાંત લખી રહ્યા છીએ. વળી તેનું નામ ઉપર જણાવેલી હકીકતમાં ક્યાંય માલૂત પડતું જ નથી, છતાં અહીં આ કનૃવંશને લગતું કાંઈક જણાવવાની જરૂર ઊભી થઇ છે તે એક મુદાને અંગે છે. તે આ પ્રમાણે છે. એમ કહેવામાં આવ્યું છે કે, કન્વવંશને એકંદર સત્તાકાળ ૪૨ થી ૪૫ વર્ષને છે; જ્યારે શુંગવંશના જે નબળા રાજાઓ ગાદીએ બેઠા છે તે સર્વેને સમહકાળ ૨૮ વર્ષને કહ્યો છે. વળી તેમની પહેલા રાજા ભાનુમિત્ર અથવા ભાગ હતે તેને રાજકાળ ૧૫ વર્ષને કહ્યો છે એટલેકે તે સવેને એકંદરસમય ૪૩-૪ર વર્ષ થાય; તેમ તે સર્વ સમય પહેલેથી છેલ્લે સુધી જે કનવંશી પ્રધાન અમલ ઉપર રહે છે તેમને સમય પણ તેટલે જ એટલે ૪૨ વર્ષને ગણો રહે. જ્યારે કેટલાક માંનો એક પક્ષ એમ માને છે કે, આ કન્વ. વંશીનો અમલ ૪૫ વર્ષ રહ્યો છે. જે તેને
સ્વીકાર કરો તે, કન્યવંશી પ્રધાનને અમલ શુંગવંશી સત્તા નાબુદ થયા પછી બેથી અઢી વર્ષ સુધી એટલે નહપાણના રાજ્ય ચાલેલ ગણુ પડે. પણ આપણે નાસિકના શિલાલેખથી જાણી ચૂક્યા છીએ કે, નહપાણના પ્રથમ વર્ષે પણ મહાઅમાત્ય જામ સત્તાધીશ હતે. એટલે સાબિત થયું કે, ૪પ વર્ષ સુધી સત્તા કન્વવંશની રહી હોવાનું માનનારા પક્ષનું મંતવ્ય સાધાર નથી. જ્યારે બીજો પક્ષ વળી એમ માને છે કે (જુઓ આ પરિગ્રાફની આદિમાં) શુંગવંશી છેલ્લા રાજા દેવભૂતિને મારનાર તે કન્વવંશી છેલ્લે પુરૂષ સુશર્મન નહીં, પણ પ્રથમ પુરૂષ વસુદેવ કે વાસુદેવ હતો. જે પ્રથમ પુરૂષ તરીકે ખૂન કરનારને સ્વીકારે અને તે આખા કન્વવંશીને પ્રધાનવટાન સમય ૪૦ થી ૪૫ વર્ષને છે જ. તે તે તેને અર્થ એમ કરવો રહેશે કે તે વંશના પ્રધાનેએ નહપાણના ૪૦ વર્ષના રાજવહીવટમાંના મેટા ભાગ પર્યત પ્રધાનવટું ભોગવ્યું હતું, જે હકીકતને ઉપર ટકેલા અયમવાળા બનાવથી વિરોધ આવે છે. સાર એ છે કે, કન્યવંશીને સત્તાકાળ જે ૫ વર્ષન માને છે તે પણ બરાબર નથી તેમ પોતાના રાજાનું ખૂન કરાવનાર પ્રથમ પુરૂષ માને છે તે હકીકત પણ સત્ય નથી.
જે એક પ્રશ્નને કાન્હાયન વંશની સાથે સીધે ઐતિહાસિક સંબંધ નથી, છતાં જયારે અત્રે તે વંશનું વિવેચન ચાલે છે ત્યારે તેને લગતી ચર્ચા પણ ભેમાભેગી કરી લઇએ તે નિરર્થક નહીં ગણાય. કાન્હાયને વંશના મૂળ પુરૂષ તરીકે વૈદિક ધર્મવાળાઓ, રાજા દુષ્યત
અને શકુન્તલાના સમયના મહાતપસ્વી કન્વકવ રૂષિને માને છે કે જેઓ કુંવરી શકુન્તલાના પાલક પિતા હતા. તે તે બહુ જ પુરાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com