________________
પરિચ્છેદ ].
કારકીદી
૧૧૧
કન્વવંશના ર૦ નબીરા વાસુદેવને મહાઅમાત્યપદે નીમી તે બેકગ્રી અને સાથે લડાઈ લડવા નીકળી પડ્યો. બે વરસ ઉપર પિતાના ભાઈનું મરણ અવંતિની પશ્ચિમ દિશાવાળા યુદ્ધમાં થયું હતું તેથી, તેમજ ત્યાંનું અરી-સૈન્ય અજેય દેખાતું હતું તેથી તે બાજૂ છોડી દઈને આ વખતે તેણે ઉત્તરના મથુરા તરફ ધ્યાન પહોંચાડયું હતું. એટલે ક્ષત્રપ રાજુલુલને સામનો કરવાનો વારો આવ્યો. પરંતુ પછીથી ગમે તે કારણ મળ્યું હેય પણ રાજુલુલને બદલે ખુદ મિનેન્ડર બાદશાહ પોતે જ યુદ્ધમાં ઉતર્યો હતો, જેમાં મિનેન્ડરનું મરણ નીપજ્યુ હતું. (ઈ. સ. પૂ. ૧૫૬=મ. સં. ૩૭૧). પણ માનવાને કારણે મળે છે કે, રાજુલુલે તેનું પરૂિ ણામ પોતાની તરફેણમાં ફેરવી નાખ્યું હતું. આ પ્રમાણે લગભગ એકીવખતે (કદાચ અકેક વર્ષનું અંતર હશે પણ પ્રજા સાથે હિંદુપ્રજાને સખ્ત યુદ્ધમાં ઉતરવું પડયું હેવાથી તે બન્ને બાજુના યુદ્ધને એક વખતે લડ્યા હોવાનું જણાવાયું છે)એ દિશામાં મંડાયેલા યુદ્ધમાં જે કે શુંગ૨- તિઓ જ હાર્યા હતા પણ ફેર એટલો જ કે એકમાં શુંગપતિ પતે મરાયો હતો અને બીજામાં સામા-
પક્ષને ન બાદશાહ મરાયો હતો. છેવટના પરિણામે શુંગ સામ્રાજ્યની આણ ઉત્તર હિંદમાં સંકોચાઈને જમના નદીના દક્ષિણ કિનારે આવીને અટકી રહી; જ્યારે પશ્ચિમ હિંદમાં-રજપુતાનામાં અને સિંધમાં તથા સૌરાષ્ટ્ર તરફ તે તેની આણને અંત આવી ગયો તે આવી જ ગયો. ફરીને એકેય બાજુ સત્તા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ નથી; અને આવ્યા હતા તે યે શુંગપતિઓની નબળાઈ તેમાં વળી રાણીવાસની મોજમજાહ તથા ભોગવિલાસ ભોગવતાં તેમને ફુરસદ પણ મળતી નહતી એવી સ્થિતિ જે થવા પામી હતી તે જોતાં તે તેઓ કેટલે દરજે ફાવત તે સમજવું એક ગહન પ્રશ્ન જ થઈ પડત.
અત્ર એક હકીકતની નેંધ લેવી રહે છે. અવ તિની નજીકમાં સાંચીવાળા પ્રદેશમાં, કે જ્યાં વિદિશા-બેસનગર આવેલ છે અને જ્યાં મૌર્ય વંશી તથા શુંગવંશી રાજાઓની અવંતિપતિ તરીકે રાજગાદી હતી તે સાંચીનગરે, અત્યારે ઉભી રહેલી સ્થિતિમાં નજરે પડતા એક સ્તંભમાં એવી મતલબનો ઉલ્લેખ છે કે તક્ષશિલાના સૂબા એન્ટીઆલસીડાસના પ્રતિનિધિ હેલીઓડોરાસે
Raja-Raja Emperorભાગવતને સ્પષ્ટ રીતે રાજ-રાન કહેવાય છે.
(૨૦) જુઓ આગળ ઉપર શુગવંશની પડતીને લગતી હકીક્ત.
(૨૧) પ. રીસ ડેવીડ પોતાના રચેલા કવેશ્ચન્સ ily His GreleSi=Questions of king Milinda નામના પુસ્તકના ઉમેઘાતમાં લખે છે કે “ He died in camp in a campaign against the Indians in the valley of the Ganges (on the authority of Plutarch )=15 નદીની ખીણમાં હિંદીઓ સાથેના યુદ્ધ કરતી વેળા પોતાની છાવણીમાં તે મરણ પામ્યો હતો, (ખુટાર્કના
લેખના આધારે)
(૨૨) આ પ્રમાણે અનુમાન કરવાનું કારણ એમ મળે છે કે, રાજીવલે આ સમયથી મહાક્ષત્રપ નામ ધારણ કર્યું લાગે છે, (જુઓ તેનું વૃત્તાંત આ પુસ્તકે આગળ ઉ૫ર) પણ શુંગવંશી ભૂપતિને તાબે થયું નથી.
(૨૩) જીઓ ઉ૫રમાં ટી. નં. ૨૧, પુરાણગ્રંથમાં બે વખત યવનોની સાથે હિંદુ પ્રજને ગમખ્વાર યુદ્ધ થયાનું ઉપર જણાવ્યું છે. પહેલું યુદ્ધ ઈ. સ. 1. ૧૯૭ માં થઈ ગયાનું ઉપર જણાવી ગયા છીએ; જ્યારે બીજી આ ઈ. સ. મ. ૧૫૮-૬ નું સમજવું. આ સિવાય બીજું નાનાં નાનાં યુદ્ધો તે અનેક થયાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com