Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
ધ્રુવાચિત્ત જઘન્ય વર્ગણા છે. જે વર્ગણાઓમાં બે પરમાણુ અધિક છે તે બીજી ધ્રુવાચિત્ત વર્ગણા છે. આ પ્રમાણે એક એક પરમાણુ અધિક અધિક કરતાં ત્યાં સુધી કહેવું કે ધ્રુવાચિત્ત ઉત્કૃષ્ટ વર્ગણા થાય. ધ્રુવાચિત્ત જઘન્ય વર્ગણામાં જેટલા પરમાણુઓ છે તેને સર્વ જીવથી અનંતગુણ જે અનંતુ છે તે અનંતે ગુણીએ અને જે સંખ્યા થાય તેટલા પરમાણુઓ ધ્રુવાચિત્ત ઉત્કૃષ્ટ વર્ગણામાં હોય છે.
૨૫
પ્રશ્ન—ધ્રુવાચિત્ત દ્રવ્ય વર્ગણા એટલે શું ?
ઉત્તર—જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યંત ચડતા ચડતા પરમાણુવાળી એક એક વર્ગણાઓ લોકમાં અવશ્ય હોય છે, પરંતુ કોઈ દિવસ એમાંની કોઈપણ વર્ગણાઓ વિનાનો લોક હોતો નથી. કદાચ એમાંની કોઈક વર્ગણા નષ્ટ થાય તો તેના સ્થાને અન્ય વર્ગણા ઉત્પન્ન થાય છે, માટે તે ધ્રુવવર્ગણા કહેવાય છે.
પ્રશ્ન—દરેક વર્ગણાઓ અચિત્ત છે તો આ વર્ગણાને અચિત્ત વિશેષણ શા માટે જોડ્યું ?
ઉત્તર—જો કે દરેક વર્ગણાઓ વાસ્તવિક રીતે અચિત્ત છે પરંતુ જે વર્ગણાઓ જીવ સાથે જોડાય છે તે વર્ગણાઓ ઉપચારથી સચિત્ત કહેવાય છે. જેમ ઔદારિકાદિ વર્ગણાઓ. ધ્રુવાચિત્ત અને પછી જે વર્ગણાઓ કહેવાશે તેઓને આત્મા કોઈ દિવસ ગ્રહણ કરતો નથી માટે તે વર્ગણાઓને અચિત્ત કહેલી છે.
ધ્રુવાચિત્ત ઉત્કૃષ્ટ વર્ગણાથી એક અધિક પરમાણુના સ્કંધરૂપ અવાચિત્ત જઘન્ય વર્ગણા થાય છે. બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી અવાચિત્ત વર્ગણા થાય છે. એ પ્રમાણે એક એક અધિક પરમાણુના સ્કંધરૂપ વર્ગણા ત્યાં સુધી કહેવી કે અવાચિત્ત ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણા કરતાં ઉત્કૃષ્ટ વર્ગણા અનંતગુણ છે. એટલે કે જઘન્ય વર્ગણામાં જેટલા પરમાણુઓ છે તેને સર્વ જીવથી અનંતગુણ જે અનંતુ છે તે અનંતે ગુણતાં જેટલા થાય તેટલા પરમાણુઓ ઉત્કૃષ્ટ વર્ગણામાં છે.
પ્રશ્ન—અવાચિત્ત વર્ગણા એટલે શું ?
ઉત્તર—અવાચિત્ત દ્રવ્યવર્ગણામાં જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યંત ચડતા ચડતા પરમાણુવાળી જે વર્ગણાઓ કહી છે તે સઘળી વર્ગણાઓ અવશ્ય હોય જ છે એમ નથી. કોઈક વર્ગણા કોઈ વખત હોય છે, કોઈક વખત નથી પણ હોતી, આ જ કારણથી તે સાંતરનિરંતરવર્ગણા કહેવાય છે.
અમ્બુવાચિત્ત ઉત્કૃષ્ટ વર્ગણાથી એક અધિક પરમાણુના સ્કંધરૂપ પહેલી ધ્રુવ શૂન્યવર્ગણા, બે અધિક પરમાણુના સ્કંધરૂપ બીજી શૂન્યવર્ગણા, એમ એક એક અધિક કરતાં ઉત્કૃષ્ટવર્ગણા પર્યંત કહેવું. જઘન્ય કરતાં ઉત્કૃષ્ટવર્ગણા અનંતગુણ છે. જઘન્યવર્ગણામાં જે સંખ્યા હોય તેને સર્વ જીવોથી અનંતગુણ જે અનંતું છે તે અનંતે ગુણીએ અને જે સંખ્યા થાય તેટલા ઉત્કૃષ્ટવર્ગણામાં હોય છે. આ પહેલી ધ્રુવશૂન્યવર્ગણા છે. આવી વર્ગણાઓ કોઈ કાળે જગતમાં હોતી જ નથી. માત્ર ઉપરની વર્ગણાઓની બહુલતા બતાવવા માટે જ એક અધિક પરમાણુના સ્કંધરૂપ બે અધિક પરમાણુના સ્કંધરૂપ એ પ્રમાણે નિરૂપણ કર્યું છે.
પંચ૰૨-૪