Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૪
વિદ્યાલયની વિકાસકથા
અનુરૂપ વિશાળ અને જરૂરી બધી સગવડાવાળુ મકાન તૈયાર થઈ શકે એવી જોગવાઈ કરી લેવામાં આવી. મુંબઈમાં અત્યારે જે જગાએ ( ગાવાળિયા ટેંક રોડ ઉપર) વિદ્યાલય ચાલી રહ્યું છે તે જ આ જગા. આ જગા અંગે સંસ્થાના રિપોટ માં જણાવવામાં આવ્યું છે કે—
મેનેજીંગ કમીટીએ મુકામ ખરીદવા માટે એક પેટાકમીટી નીમી હતી. તેમણે ઘણાં મુકામે જોયાં, લગભગ પાણેાસેા ઉપર જગાએ તપાસી, પણ કોઈ સ્થાનને અંગે, કેાઈ ટાઈટલને અંગે અને કોઈ કિમતને કારણે પસંદ ન આવી. આખરે આ જગા પર પસંદગી પડી છે, કારણ કે તેના સામે પૂરેલા ગોવાળીઆ તળાવના ઘણા વિશાળ પ્લાટ ખાલી છે જે આપણા વિદ્યાર્થી એને રમત ગમત હરવા ફરવાના ઉપયેગમાં સારી રીતે આવે તેમ છે અને ત્યાંથી કોલેજોમાં જવાની સગવડ પડે તેમ છે.” ( ત્રીજા વર્ષના રિપોર્ટ, પૃ. ૮-૯ ) “ સંસ્થાનાં મુકામેાનુ સ્થાન અને જગા એવી સારી રીતે આવેલાં છે કે આપ એ સ્થાન જોશી ત્યારે આપને જરૂર આનદ થશે. ત્યાં કેટલેા ભાગ વસવાટ માટે કરવા, કેટલા લાયબ્રેરી માટે, કયા ભાગ સ્ટાર માટે, કયા રસાડા માટે, કયા કસરતના રૂમ માટે અને કયા વિભાગ સુપ્રીન્ટેન્ડેન્ટ માટે વાપરવા તે સ નિર્ણય મેનેજીંગ કમીટી કરશે. અત્યારથી જ મેટા નફા સાથે એ મુકામની માગણીઓ થઈ ગઈ છે જે બતાવે છે કે એ ખરીદી યોગ્ય રીતે અને ચેાગ્ય વખતે થઈ છે. ( ચેાથા વર્ષના રિપોર્ટ, પૃ. ૧૪)
<<
આ રીતે સંસ્થા પાસે મકાન ફંડમાં જેટલી રકમની (રૂા. ૧,૨૯,૪૮૩ની) જોગવાઈ હતી, તેના કરતાં આશરે એકાદ લાખ રૂપિયા વધુ ખરચીને વિદ્યાલયના સંચાલકોએ, જરાય ખમચાયા વગર, આ જગાએ ખરીદી લીધી હતી; કેમ કે એમને સ ંસ્થાએ હાથ ધરેલ કાર્યની ઉપયેાગિતામાં, જૈન સંઘની ઉદારતામાં અને પેાતાની કાનિષ્ઠામાં પૂર્ણ શ્રદ્ધા હતી; અને દરેક કાર્ય તેએ આત્મવિશ્વાસપૂર્વક હાથ ધરીને સમયસર પૂરું કરતા હતા—જાણે સમાજના ઉજજવળ ભાવીના કોઈ સંકેત જ અદૃશ્ય રીતે કામ કરી રહ્યો હતા.
પણ આ કામ તે ઘણું જંગી કામ હતું. જગા ખરીઢવામાં જે ખર્ચી (રૂા ૨,૩૧,૦૦૦) થયું તેના કરતાં વધારે ખરચે—આશરે અઢી લાખ રૂપિયાના ખરચે—વિદ્યાલયને અનુરૂપ નખશિખ નવું મકાન ઊભુ` કરવાના પ્લાન ઇજનેર શ્રીયુત મેાતીલાલ ગાંધીએ તૈયાર કરી આપ્યા હતા, અને એ મુજબ મકાનનુ' કામ પૂરું કરવાનું' જ હતું.
નવાં ખરીદેલ છ મકાનમાંથી પાંચમા તથા છઠ્ઠા મકાનમાં જરૂરી ફેરફાર અને સમારકામ કરીને વિદ્યાલય ત્યાં લઈ જવામાં આવ્યું; અને ૧-૨-૩ ન’બરવાળાં મકાનોને જમીનદોસ્ત કરીને એ સ્થાને જરૂરી બધી સગવડાવાળુ. આલિશાન મકાન ઊભું કરવાની તૈયારીઓ થવા લાગી. આ માટેના પૈસાની ટહેલ નાખતાં સંસ્થાના મંત્રી શ્રીયુત મેાતીચંદભાઈ એ, પાંચમા વર્ષના રિપોર્ટ(પૃ. ૧૩)માં કહ્યું હતુ` કે—
“ જ્યાં સુધી મુકામના સવાલને છેવટને નિચ ન થાય અને મુકામે બધાઈને તમારી જાહેોજલાલીનું જવલંત અને જીવંત દશ્ય રજુ ન કરે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારના સંપૂર્ણ સતાષ પામી શકીએ એમ નથી. આપ અમારી સેવાને બદલેા આપવા માગતા જ હું તે આ અમારી યોજનાને વ્યવહારુ કરી દેજો અને અમારી પૂર્ણ ખાતરી છે કે અમારું આ મંતવ્ય સ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org