Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-2થ હતી અને પિતાના હાથીઓ તેમ જ ઘોડાઓ પણ જીવજંતુની હિંસા ન કરે એ માટે એ તેમને ગાળેલું પાણી પાવાને આગ્રહ રાખત. વધુમાં એ લખે છે કે એના રાજ્યનાં પચાસેક વર્ષ દરમિયાન રાની પશુઓ મનુષ્ય સાથે હળીમળી જતાં ને કે એમને મારતા ગૂડતા નહીં. ઇત્સિંગ પણ આ પ્રદેશને એક રિવાજ વર્ણવતાં કહે છે કે અહીં ગાળેલા પાણીમાંથી નીકળતાં જંતુઓને પાછાં પાણીમાં નાખી જીવતાં રાખવાનો રિવાજ છે. આમાં બૌદ્ધ ધર્મની અસર હોઈ શકે. પરંતુ જેનેએ આ ભાવનાને વ્યાપક અને પ્રબળ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. આમાં સોલંકી યુગના મહારાજા કુમારપાલને પણ આગવો ફાળો છે.
મહારાજા કુમારપાલની “અમારિ–ષણ” એ એક મોટી સાંસ્કૃતિક ઘોષણા છે. આમાં એ અશેક કરતાં એક ડગલું આગળ વધે છે. આ વિશે શ્રી હેમચંદ્રાચાર્ય એમના
દ્વયાશ્રય” કાવ્યમાં સેંધે છે: “એણે કસાઈઓથી થતી તથા શિકારીઓ દ્વારા થતી હિંસા બંધ કરી, દેવતાઓને મળતા બકરાઓના બલિ પણ બંધ કર્યા અને માંસાદિના વેચાણથી જેમની આજીવિકા ચાલતી હતી તેમની આજીવિકા બંધ થતાં તેઓને રાજાએ ત્રણ વર્ષનું ધાન્ય આપ્યું. “અમારિ–શેષણને પ્રચાર કુમારપાલે માત્ર ગુજરાતમાં જ નહીં પણ પિતાના સામંતે મારફતે પિતાના આખાય સામ્રાજ્યમાં ગુંજતો કર્યો હતો. મારવાડના છેક દક્ષિણ ભાગમાં આવેલા રત્નપુરના શિવમંદિરમાંથી અને જોધપુર રાજ્યના કિરાડુમાંથી મળતા હિંસાબંધી ફરમાવતા લેખે આની ગવાહી પૂરે છે. આ સિવાય
કાલે રાજાઓ અને રજપૂતેમાં પ્રચલિત એવા મદ્યપાન અને માંસભક્ષણની બધી ફરમાવી હતી અને પરદારાગમન અને વ્રતને ત્યાગ કરાવ્યું હતું. આથી ગુજરાતની પ્રજામાં દરેક અનાચાર પ્રત્યે સામાન્ય રીતે જોવા મળતી તિરસ્કારવૃત્તિ માટે આપણે આ રાજવીને શ્રી સહજાનંદ સ્વામી સાથે સંભાર પડે.
આ અહિંસા અને જીવદયાની ભાવના ગુજરાતની પ્રજાના હૃદયમાં સૈકાઓ સુધી ઘુંટાતી રહેલી છે એટલું જ નહીં, વ્યવહારમાં પણ ઊતરી છે. આ પ્રદેશની એક વિભૂતિ ગાંધીજીએ તે અહિંસાની ભૂમિકા પર જ સ્વાતંત્ર્યનું આંદોલન જગાવ્યું. અહિંસા અને વીરતા એ બે બાબતોને કેટલાક વિરોધી માનતા હતા; પણ ગાંધીજીએ આ તથાકથિત વિરોધી બાબતોને ભેગી કરી એક નવું બળ જન્માવ્યું. અહિંસાથી ભરેલી વીરતાથી યુદ્ધ ખેલવાના નવા જ પાઠ ગાંધીજીએ શીખવ્યા. બળવંતરાય ઠાકરે આ ભાવનાને ગ્ય રીતે બિરદાવી છે–
“છે જંગ સાત્વિક બળ પ્રકટાવવાને,
ચારિત્ર્ય સૌમ્ય વ્રત સાધુ ખિલવવાને.” સામા પર ઘા કર્યા વિના જીતવાને ભગવાન બુદ્ધ અને મહાવીરનો પ્રયોગ ગાંધીજીએ કરી બતાવ્યું. ખરેખર તે આખીય ગુજરાતની અહિંસા અને કરુણામય સંસ્કૃતિનું સર્વ ગાંધીજી સાંગોપાંગ વ્યવહારમાં ઉતારે છે અને આથી એમની સિદ્ધિ ગુજરાતના સત્ત્વનું સામર્થ્ય અને ખમીર પુરવાર કરે છે. આમ અશોકના શિલાલેખમાંની ધર્માજ્ઞાઓ કોતરાઈ તે દેશના ઘણા ખૂણામાં, પણ તે ઊગી તે ગુજરાતના જીવનમાં જ.
જ મિત્રકકાલીન ગુજરાત' ભાગ ૧; લે. ડે. હરિપ્રસાદ શાસ્ત્રી, પૃ. ૮૭-૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org