Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અભયસમકૃત
માનતું ગ-માનવતી-ચઉપઈ
સંપાદક : કનુભાઈ વ્ર, શેઠ એમ. એ.
અભયશોમત માનતુંગ-માનવતી-ચઉપઈની રચના વિ. સં. ૧૭૨૭માં થયેલી છે. પ્રસ્તુત કૃતિનું સંપાદન અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના
મુનિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની સં. ૧૭૪૭માં લખાયેલી, એક શુદ્ધ પ્રત પરથી કર્યું - છે. ભંડારના ૨૭૫ર ક્રમાંકવાળા ગૂટકામાં બીજી કૃતિઓની સાથે પાના ૧૧ થી ૧૮
સુધીમાં આ કાવ્ય ઉતારેલું છે. ભુજ મધ્યે સં. ૧૭૪૭ના આધિન માસમાં તેની નકલ કરવામાં આવી છે. કૃતિ સં. ૧૨૭માં રચાઈ, એ એની “પ્રશસ્તિના નીચેના ઉલ્લેખ પરથી સ્પષ્ટ થાય છે?
“સતર સતાવીશ સંવત્સરઈ, સુદિ આસાઢષ્ઠ દ્વિતીયા દિન ગુરઇ, ખરતર સહગુરુ જિણચંદ જયકરુ, તેહનઈ રાજઈ સેહગસુંદર; સુંદર સેમસુંદર પ્રસાદિ, અભયમ ઈણિપરિ કહઈ,
એ સરસ કહિનઈ કથા દાખી, ભેદ મતિમંદિર લહઈ.” (૪) - પરથી જાણવા મળે છે કે તે ખરતરગચ્છના જિનચંદના શિષ્ય સમસુંદરના શિષ્ય હતા. તે સિવાય કઈ ખાસ માહિતી તેમના અંગત જીવન વિષે પ્રાપ્ત થતી નથી.
* શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ કવિની પ્રાપ્ત કૃતિઓની હસ્તપ્રતોને આધારે તેમને ક્વનાથ સંવત ૧૭૧૧ થી ૧૭૨૯ ગણાવ્યું છે. (જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૂ. ૬૪,) અને આ ચપણ ઉપરાંત બીજી ત્રણ કૃતિઓ: ૧. વૈદભ ચોપાઈ (સં. ૧૭૧૧), વિક્રમચરિત્ર ખાપરા ચોપાઈ (સં. ૧૭૨) અને વિક્રમચરિત્ર (લીલાવતી) ચોપાઈ (સં. ૧૭૨૪) ઉપલબ્ધ થતી હોવાનું નોંધ્યું છે. (જેન ગૂર્જર કવિઓ, ભાગ ૨, ૫. ૧૪-૧૪૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org