Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 524
________________ પૂ. મુ. શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) આપણું સંસ્કારને ૨૧૧ જે વસ્તુને ચારોથી બચાવવા માટે ઉજાગરો કરવો પડે, જે વસ્તુને માટે ભાઈઓને લડવું પડે, પિતા પુત્રને મનદુઃખ થાય એ ધન નથી. ભગવાન બુદ્ધ શું કહ્યું? એમણે કહ્યું : “આજની સભામાં સાચો સંસ્કારી અને ધનપતિ હોય તે આ સુદાસ છે.” ' આ વાર્તા બુદ્ધની જાતકકથામાં આવે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગેરે એને સરસ વિચારેની કલગી આપી છે. અંદરના અંધકારને દૂર કરવામાં મદદગાર થાય એનું નામ તે ધન છે, બાકી બધુંય પૈસો છે. આપણે જે ધરતીમાં જીવીએ છીએ, એ ધરતીના અણુઅણુમાં આ ભાવના ભરેલી હતી. પણ દેશ-કાળના પ્રભાવને લીધે કેટલીક વસ્તુઓ બદલાઈ જાય છે, અને બદલાઈ જવા છતાં ધરતીમાં જે વસ્તુ પડેલી છે એ ધરતીને સાવ મૂકીને જતી નથી રહેતી. આપણું આ સંસ્કારધન શું હતું? આપણી આ સંસ્કારગાથાને કવિ કાલિદાસે રઘુવંશમાં નેધતાં કહ્યું છે કે शैशवेऽभ्यस्तविधाना, यौवने विषयैषिणाम् । वार्धके मुनिवृत्तीनां, योगेनान्ते तनुत्य नाम् ॥ માનવજીવનના ચાર તબક્કાઓની ચાર વાતો આ લેકમાં મૂકી છે. પહેલું શિવ, બીજું યૌવન, ત્રીજુ પ્રૌઢત્વ છે અને ચોથું મૃત્યુ. જીવનના આ ચાર પ્રસંગને આપણે કઈ કઈ વસ્તુથી ધન્ય અને ચિરંજીવ બનાવી શકીએ એના ઉપાયો આપણને આ એક જ કમાં એ મહાકવિએ બતાવ્યા છે. “ અwતવિઘાનમુશિવ શેનાથી અલંકૃત બને અને ચિરંજીવ બને? તે કહે, શિશવ વિદ્યાથી ભર્યું હોવું જોઈએ. જેમ કોઈ પાત્ર અમૃતથી ભરેલું હોય તો પાત્રમાંથી આપણે એનું પાન કરી શકીએ પણ પાત્ર ખાલી હોય તો? ખાલી પાત્ર ગમે એટલું સુંદર હેય પણ એનાથી આપણી તૃષા છીપતી નથી–ભલે પાત્ર લેટિનમનું હોય તે પણ શું ? પ્યાસ તો એમાં રહેલી વસ્તુ જ મિટાવે છે. એમ શૈશવ એ પાત્ર છે. એમાં વિદ્યા એ અમૃત છે. વિદ્યાનું અમૃત એમાં ભરેલું હોય તો જ એ જીવનની પ્યાસને મિટાવે છે. શૈશવ એ વિદ્યાને માટે જ હોવું જોઈએ. મુરબ્બીઓએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકોના વિદ્યાભ્યાસના સુવર્ણકાળમાં અમારા તરફથી જાણતા કે અજાણતાં કઈ પિત્તળ ન મળી જાય કે જેથી એમનું સુવર્ણ જીવનના ખરા સમયમાં ખોટું પડી જાય! આ વાત રાજદ્વારી માણસે, નેતાઓ અને માતાપિતાએ ધ્યાનમાં રાખે તો બાળકના જીવનમાં સદા વિદ્યાને જ પ્રકાશ રહે અને એનું શૈશવ સુંદર અને સંસ્કૃત બની જાય. પણ આજે વિદ્યાનો અને વિદ્યાર્થીઓને ઉપયોગ ઘણાખરા પિતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. માણસ એમની પાસે પથરા ફેંકાવીને, કોલેજો અને યુનિવર્સિટીઓ સળગાવરાવીને, શિક્ષકેની સામે બોલતાં કરીને, ચોપડીઓ અને પુસ્તકાલયેને બાળતા કરીને એમના શૈશવને બગાડી રહ્યા છે. જે બીજાનું શૈશવ બગાડે એને પિતાને બુઢાપે શા માટે ન બગડે? એનાં મૂળ કોણ છે? સત્તાના ઉચ્ચ આસન ઉપર બેઠેલા, જેમનું તમે હારતોરા લઈને સવાગત કરે છે અને ગયા પછી નિંદા શરૂ કરો છો તે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562