Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી રતિલાલ દીપચ’૪ દેસાઈ : રાજા અને યાગી
આ યૌવનમાં આ ત્યાગ ! આવી સૌ ઝરતી સુકુમાર કાયાનું આવું દમન !
કયારેક તે જુવાન જોગી પેાતાની ધકથા સંભળાવીને વિદાય થાય તે પછી પણ બાદશાહને આ વિચારો જ સતાવ્યા કરતા. ત્યાગીને ત્યાગ ભાગીને મન અકળ કાયડા અની ગયા હતાઃ પાંગળા સીધાં ચઢાણુ કેવી રીતે ચડી શકે ?
બાદશાહ પેાતાના મનની વાત નૂરજહાંને કરતા. સ્વર્ગની અપ્સરા સમી એ નારીને પણ આવા જોગીના આવે ભેખ ન સમજાતા. એને પણ લાગ્યા કરતું કે સિદ્ધિચ`દ્રને સમજાવીને આવા દેહદમનથી પાછા વાળવા જોઈએ. પણ એ કામ કરવું કેવી રીતે ?
ન
૨૪૫
જહાંગીર આખરે રાજા હતા. એને ન્યાય તા વખણાતા પણ એના સ્વભાવ ઉતાવિળયા હતા : એને રીઝતાંય વાર ન લાગતી અને ખીજતાંય વાર ન લાગતી. અને કોઈ વિચારને વધુ વખત સુધી મનમાં ને મનમાં સંઘરી રાખવાનુ' એનુ ગજું જ ન હતું': વિચાર આવ્યા કે તડ ને ફડ એના નિકાલ ! છતાં સિદ્ધિચંદ્ર માટેના વિચાર એણે ઘણા વખત સુધી મનમાં સંઘરી રાખ્યા હતા. પણ એક દિવસ જાણે એનીય હદ આવી ગઈ
આજે સિદ્ધિચન્દ્રે ખૂબ સરસ વાતો કરી હતી. બાદશાહ અને બેગમ બન્ને ખૂબ ખુશ હતાં. સિદ્ધિચંદ્રને પણ થયુ` કે આજે માતા શારદાની મારા ઉપર વધુ કૃપા વરસી.
વાત પૂરી થઈ અને મુનિ રવાના થવા તૈયાર થયા. બાદશાહે વિચાર્યુ : અત્યારે આવુ' સરસ વાતાવરણ છે તેા મુનિને પાતાના મનની વાત કરી જ દેવી જોઈ એ.
k
એમણે મુનિને કહ્યું : “ આજે તે આપે કમાલ કરી! જવાની આટલી બધી શી ઉતાવળ છે ? વાતના આવે રગ કયારેક જ જામે છે. ઘેાડી વાર રાકાઈ જાઓ.” મુનિએ સહજ ભાવે કહ્યુ' : માદશાહ, વખતનાં કાન વખતસર થવાં જોઈ એ. અમારે અમારાં ધર્માંકાર્યાના અમારા મનના માલિકને હિંસામ આપવાના હેાય છે. આળસ કરીએ તા ફરજ ચૂકી જઈ એ. એમાંય અમારા માર્ગ તે સયમને, એ માટે જો સદા જાગ્રત ન રહીએ તેા એમાં ખામી આવતાં વાર ન લાગે. આપણને મળવાની કયાં નવાઈ છે ? ફરી મળીશું ત્યારે ફરી વાત કરીશું. આજ તા હવે સમય થઈ ગયા છે.’’
બાદશાહને આ નવા અનુભવ હતા. મુનિના જવાબ સાંભળી એ કંઈક આધાત અનુભવી રહ્યો : બાદશાહ જેવા ખાદશાહ ખુશ થઈને આવી મામૂલી માગણી કરે, એને આવે! ઇનકાર ! પણ આજે પેાતાની વાત કર્યા વગર એને જપ વળે એમ ન હતા. અને આકળા થઈને વાત કરવામાં તેા મજા ન હતી. એણે ખામેાશી પકડીને કહ્યું: “ આજે ઘેાડીક વાત કરવાનુ મન છે. ભલે ચેાડુ' માડુ' સહી.’
મુનિ બાદશાહના મનને ન સમજી શકયા, પણ એ રાકાઈ ગયા.
પળવાર તા જહાંગીરનું મન સ`કાચ અનુભવી રહ્યું: આવી વાત કેવી રીતે કરવી ? પણ પછી એણે હસીને કહ્યું: “ ભલા, આપની ઉમ્ર કેટલી થઈ ? >
“ પચીસ.” મુનિએ કહ્યું, પણ એમને ખાદશાહના સવાલનો હેતુ ન સમજાય. “ આટલી યુવાન ઉંંમરમાં આવે। ત્યાગ અને સયમ સ્વીકારવાની શી જરૂર પડી ? એ બધુ' તે ઘડપણમાં શેલે ! અત્યારે તે સુખભેાગ-વિલાસ એ જ ડાય. કુદરતે આપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org