Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 529
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ વાદમાં વિદ્યા અને પુરુષાર્થની બે શક્તિઓને લીધે પિતે ચિત્તની સમાધાનાત્મક અવસ્થામાં રહી શકે એનું નામ તે મુનિ છે. અંદર જે ઝીણું ઝીણું ગુંજન ચાલે છે એ ગુંજનને અનુભવ મૌન પાળ્યા વિના, ઊંડા ઊતર્યા વિના થતો નથી. એક અનુભવ બાપે પિતાના આળસુ દીકરાઓને કહેલું કે હું જાઉં છું, પણ મેં ખેતરના ઊંડા ભાગમાં એક ચરુ દાટેલો છે એ કાઢી લેજે. એટલું કહીને બાપ મરી ગયે. પિલા દીકરાઓ તો મંડી પડ્યા ખેતરને ખોદવા. આળસુ હતા પણ ચરુ જોઈતો હતો એટલે ખોદી ખોદીને આખું ખેતર ઉથલાવી નાખ્યું, પણ ક્યાંયે ચરુ ન મળે. એટલામાં વર્ષા થઈ ખેતરમાં ઘાસ સાથે બીજી વસ્તુઓ ઊગી નીકળી અને ખેતર મેલથી લચી ગયું. ત્યારે પિલા વૃદ્ધના મિત્રે આવીને કહ્યું : “તમારા બાપે કહ્યું હતું કે ખેતરના ઊંડા ભાગમાં દાટેલું છે, એને અર્થ એ કે જેમ જેમ છે તેમ તેમ ખેતર પિચું થાય. એમાં જે ઊગે એ જ તમારી સમૃદ્ધિ છે.” પિતાએ દીકરાને જે કહ્યું હતું એ જ વાત હું તમને કહું છું. તમે તમારી જાતની અંદર જાઓ, ઊંડા ઊતરે. જેમ જેમ તમે તમારા પિતામાં ઊંડા ઊતરતા જશે તેમ તેમ તમને નવી જ અનુભૂતિ થતી જશે; આગળ વધતાં એક એવી અનુભૂતિની અવસ્થાને પામશે, જે ભૂમિકામાં અનુભવાય કે જે તત્ત્વ મહાવીરમાં હતું, બુદ્ધમાં હતું, શ્રીરામમાં હતું અને આદિનાથમાં હતું એ જ પરમ તત્વ મારામાં છે. આ પરમ તત્વની સમૃદ્ધિનો અનુભવ થયા પછી હું કંગાલ છું એમ લાગે જ નહિ. એમ લાગે કે હું મહાવીર છું, હું બુદ્ધ છું, હું રામ છું, હું આદિનાથ છું. પણ એમ કહેવા પહેલાં અને એમ કરતાં પહેલાં અનુભવ થ જોઈએ. અને અનુભવ થયા પછી કહેવાનું રહેતું નથી; પછી તે અનુભવવાનું જ રહે છે. ઘણા લોકો કહેતા ફરતા હોય છે. “હું આ છું.” પણ જ્યાં કહેવા બેસીએ ત્યાં અનુભવવાની વાત ચાલી જાય છે. અનુભવ મૌને છે. ત્યાં બેલવાનું બંધ થઈ જાય છે. ભ્રમર મધુરસનું પાન કરતો હોય છે ત્યારે ગુજન બંધ જ થઈ જાય છે; ગુંજન ચાલતું હોય છે ત્યારે એનું મધુપાન બંધ હોય છે. એવી જ રીતે અનુભવ થાય છે ત્યારે બીજી બધી વાતો બંધ થઈ જાય છે, ત્યાં માત્ર અનુભવની વાત હોય છે. આ અનુભવરસનું જેણે પાન કર્યું તેની ખુમારી કદી ઊતરતી નથી, એને સંસારની માનસિક બિમારી સ્પર્શતી નથી. એ સદા અનુભવમાં મસ્ત અને મગ્ન રહે છે. આ અનુ. ભવ કરતાં પહેલાં પહેલી બે ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. વિદ્યાથી પહેલામાં, પછી બીજામાં, પછી ત્રીજામાં એમ એક પછી એક ધોરણમાં આગળ વધતો જાય છે, એમ ન કરનાર માણસ ઉપરની કક્ષામાં, યુનિવર્સિટીમાં, વિદ્યાપીઠમાં પહોંચી શક્તો નથી; એકદમ યુનિવર્સિટીમાં જાય છે એ peon-સિપાઈ તરીકે જાય અથવા કલાર્ક તરીકે જાય, પણ એ પ્રેફેસર તરીકે નથી જઈ શકતો. એ જ રીતે તમારે પણ જીવનની આ ત્રીજી ભૂમિકામાં જતાં પહેલાં શશવની અને યૌવનની ભૂમિકાઓને ધીમે ધીમે સરસ બનાવવી જોઈએ. માણસ સુધરતે સુધરત જ ઉપર જાય છે—જેકે એમાં પણ અપવાદ હોય છે. બેમાં સાવધાન ન રહ્યા હોય તેમ છતાં ત્રીજી અવસ્થામાં સુધરી ગયા હોય એવા દાખલાઓ મળે છે ખરા, પણ એ અપવાદને નિયમ સમજીને ન ચાલી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562