Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૦૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ અંતરને મર્માઘાત થયો હોય એમ ઉપલો બનાવ બન્યા પછી સનસ્કુમારને રૂપ, બળ અને સત્તાને તમામ ગર્વ ગળી ગયો. તેને ભાન થઈ ગયું કે જીવન પાણીના પરપોટા જેવું ચંચળ છે અને લૌકિક સુખનાં બધાં જ સાધન સંધ્યાના રંગ જેવા અસ્થિર તેમ જ પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે. તેને ખાતરી થઈ ગઈ કે આ જગતનું કોઈ પણ પ્રાણુ રોગ અને મૃત્યુના ભયમાંથી મુક્ત નથી. સામાન્ય માણસ અને ચકવતી બંનેને કુદરતનો આ નિયમ સમાન પણે લાગુ પડે છે. એના ચિત્તતંત્રમાં એક ભયંકર પ્રકારનો વિષાદ છવાઈ ગયે. પિતાની પાસે મહાન સામ્રાજ્ય તેમ જ વૈભવ અને વિલાસનાં વિપુલ સાધને હોવા છતાં પિતાની આવી ચનીય દશા ! ચક્રવતી ભારે અસહાયતા અનુભવી રહ્યા. એમના જીવનમાંથી આનંદ ઊડી ગયે અને એ શૂન્યમનસ્ક બની ગયા.
દેહના દઈ કરતાં મનનું દર્દ વધુ કાતિલ અને જટીલ હોય છે. સનસ્કુમાર ચક્રવતી વિચારવા લાગ્યા કે અનિત્ય, અસાર અને અશરણરૂપ એવા દેહમાં જીવને શા કારણે આટલી બધી આસક્તિ અને પ્રીતિ થતી હશે? પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી હોવા છતાં આ શરીર પરના આટલા બધા મેહને અર્થ શું છે? સૂર્ય અને ચંદ્ર જેવા તિવાળા પદાર્થો પણ સ્થિર રહી શકવાને અશક્ત છે અને ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે, તો પછી આ દેહનું પરિવર્તન થાય એમાં જીવને શા માટે ખેદ અને મૂંઝવણ થવાં જોઈએ?
આ રીતે કમેકમે દેહની ક્ષણભંગુરતા, અનિત્યતા અને પરિવર્તનશીલતા સમજાતાં સનત કુમારમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયા અને સંસારના ભેગપદાર્થો પ્રત્યે એને મનમાં ભારે અણગમે જાગે. દેહના જે રૂપનું તેને અતિ અભિમાન હતું તે જ રૂપ તેના માટે વૈરાગ્યનું નિમિત્ત બની ગયું. તેને સમજાઈ ગયું કે આત્માની સાથે જ્યાં સુધી કોઈ ને કોઈ કર્મનો સંગ છે, ત્યાં સુધી કેઈ ને કોઈ પ્રકારને દેહ અવશ્ય ધારણ કરવો પડે છે. જન્મ-મરણના ચકનો અંત લાવો હોય તો શરીરથી છૂટા થઈ અશરીરી દશા પ્રાપ્ત કરવી જોઈએ, અને તેના માટે ધોરી માર્ગ ચક્રવતી પણું નહીં પણ ત્યાગ-તપ-સંયમના માર્ગને સ્વીકાર કરવો એ છે.
આટલું સત્ય સમજાયું અને જાણે ચક્રવતીના અંતરમાં અજવાળાં પથરાઈ ગયાં. પછી તે, સર્પ જેમ કાંચળીને ત્યાગ કરી દે છે તેમ, સનતકુમાર ચક્રવતીએ પણ નવનિધાન અને વિપુલ ઋદ્ધિસિદ્ધિને સદાને માટે ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી લીધી. જેઓ કર્મમાં શૂરા હોય છે તેઓને ધર્મમાં પણ શૂરા થતાં વાર લાગતી નથી. ત્યાગી બનેલા ચકવતીને હવે એ સમજવું સહજ બની ગયું કે વિભવ અને વિલાસના માર્ગે તો માનવશક્તિનો હ્રાસ થાય છે, પરંતુ શક્તિના એ જ પ્રવાહને જે ત્યાગ, તપ, સંયમના માગે વાળી શકાય તો તેથી મુક્તિપદ પણ પ્રાપ્ત કરી શકાય છે. અને એમણે ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. છડું અઠ્ઠમના પારણે પૌષ્ટિક પદાર્થોને બદલે રસહીન—લુ આહાર વાપરવાનું શરૂ કર્યું. જોતજોતામાં એમનું થનગનાટ કરતું યૌવન શાંત બની ગયું, અને શક્તિના પંજ સમું શરીર સુકાઈ ગયું. શરીરમાંથી લેહમાંસ સુકાઈ ગયાં અને માત્ર હાડકાં ને ચામડાંનું ખોખું જ બની ગયું. ચકવતી સનકુમાર હવે ચકવતી મટીને રાજર્ષિ બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org