Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી બાપુલાલ કાળીદાસ સધાણ-વીરબલ’: આર્ય જંબૂસ્વામી
સમર્પિત થયેલાં હદય તે આરસી જેવાં હોય છે, તેમાં તે માત્ર આપના હૃદયની પ્રતિછાયા જ પડશે !”
“મારી તો અભિલાષા છે કે પ્રાતઃકાળે ભગવાન સુધર્માસ્વામીના ચરણોમાં બેસી જાઉં!”
“આપના પગલે ચાલીને અમે પણ મહામના સતી ચંદનબાળાના સાધ્વીસંઘમાં સમાઈ જઈશું; અમારો એ પૂર્વનિર્ણય છે આર્ય!” જ્યશ્રીની વાચા ઊઘડી.
જે તમારા સૌને એ જ નિશ્ચય છે તો સમુદ્રશ્રી ! આપણે સહુ હવે આરામ કરીએ. મધરાત વીતી ચૂકી છે. હમણું પ્રભાત થઈ જશે ને પ્રસ્થાનની તૈયારી કરવાની રહેશે.” જંબૂ કુમારે કહ્યું.
આજની રાત નાથ ! ગુમાવવાની ન હોય. મિલનને આ અપૂર્વ અવસર. વારેવારે સાંપડવાને નથી. આજની ઘડીને આપણે મધુરજનીમાં ફેરવી નાખીએ.” સમુદ્રશ્રી સ્વસ્થતાથી બોલતી હતી. “મધુરજની ?કનકશ્રી ચમકીને બેલી ઊઠી.
ભડકી ના ઊઠ બહેની ! સવારમાં આત્માને પંથે વિચરનારાની મધુરજની કેવી હોય તે મારે તને સમજાવવાનું ન હોય” સમદ્રશ્રીના હોઠ પર મિત છલકતું હતું.
કહે સમુદ્રશ્રી ! મધુરજની કેવી રીતે માણીશું?”
પ્રિય! જ્ઞાનગોષ્ઠી અને ધર્મવિદથી અંતરને ભરી લઈએ. આત્મસાધનામાં એ ભાતું બની રહેશે. પણ મારો એક વાંધો છે દેવ !”
કો સમુદ્રથી ! જે કહેવું હોય તે મુક્ત મને.”
આપ અમને બહુમાનથી કેમ સંબધો છો? આપના હૃદયમાં હજુ પણ શું અંતર છે?
જંબુકુમાર અંતરના એકતાર સમા એ બોલને સાંભળીને પ્રસન્નતા અનુભવી રહ્યા. સમુદ્રશ્રીને જાણે એ મૌનમાં જ આત્માની એકતાને જવાબ મળી ગયે.
“નાથ ! યોવનના સુખને વિસારી આત્માનંદ તરફ દોરનારા ભગવાન સુધર્મા સ્વામીની મંગળવાણી અમને સંભળાવો.” નભસેના બેલી.
સૂક્ત અને શબ્દ તે એના એ જ છે. આપ્ત પુરુષની વાણીમાં એ સુસ્વાદ્ય બની જાય છે. સાંભળે એ વાણું–
" एगोहं नत्थि मे कोइ नाहमन्नस्स कस्सइ। एवं अदीणमणसो अप्पाणमणुसासइ ।। एगो मे सासओ अप्पा नाणदसणसंजुओ। सेसा मे बाहिरा भावा, सचे संजोगलक्खणा ॥ પુરુષ-કંઠમાંથી નીકળતાં એ સૂકો જાણે મહાષશા પડછંદા પાડી રહ્યાં.
એ વાણી માનવીને સમજાવતી હતીઃ “આત્મા પરાધીન નથી, ખંડિત નથી; એ એક સ્વયંપૂર્ણ સ્વતંત્ર એકમ છે. દીનતાને ખંખેરી નાંખીને આત્માનું રાજ્ય ચલાવે. આત્મા શાશ્વત છે. તે જ્ઞાન-દર્શનની અનુભૂતિથી ચિદૂઘન છે. વિશ્વને રાજરાજેશ્વર છે. અન્ય સર્વે તે બાળભાવ છેસંજોગોના મોહમાંથી–અજ્ઞાનમાંથી આવિર્ભાવ પામેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org