Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ એણે કહ્યું: “આજની રાત રહીને કાલે સવારે મારે માર્ગે ચાલ્યા જઈશ. દરને પ્રવાસી છું, જગ્યા આપશે?”
ખેડૂત બાપ-દીકરીએ અતિથિને આદર કર્યો. જે કાંઈ ભજન પિતાની ઝૂંપડીમાં હતું તે એમણે હાજર કર્યું, અને અતિથિની ખૂબ સરભરા કરી. ચાર દિવસ સુધી અતિથિને પિતાને ત્યાં રાખે. એટલા વખતમાં તો શ્રેણિકે નંદાને પોતાના પ્રેમપાશમાં લપેટી, ભેળવી અને પતિત પણ કરી દીધી હતી! વિદાય થતી વખતે નંદાની આંગળીમાં રાજમુદ્રિકા પહેરાવતાં એ એટલું જ કહેતે ગયા : “મગધનો રહેવાસી છું. કોઈક દિવસ મગધની રાજધાની રાજગૃહીમાં આવવાનું થાય તે મારે આંગણે પધારજો!”
નામઠામ આપ્યા વિના ભેળી ખેડૂત કન્યાને ભેળવી પ્રવાસી તે ચાલ્યા ગયે, પણ નંદા, એ પ્રસંગના ચિંતાભર્યા સ્મરણરૂપે, ગર્ભને ધારણ કરી રહી. પૂરા દિવસે એને પુત્ર અવતર્યો. થોડા દિવસ પછી એક મેઘલી રાતે સર્પદંશથી નંદાને બાપ મૃત્યુ પામ્યા!
એકલી-અટૂલી નંદાએ, પિતાના ભલાળ સાથીઓની સહાયથી, મહેનત-મજૂરી કરીને, પંદર વર્ષ સુધી પોતાના બાળક અભયને ઉછેરીને માટે કર્યો.
એ વાતને પંદર વર્ષ વીતી ગયાં છે. ફરી એ જ વસંતની બહાર ખીલી ઊઠી છે. વૃક્ષપલ્લવે નવા અંકુર ફૂડ્યા છે. ફૂલે ફૂલે ભ્રમર ગુંજી રહ્યા છે. યૌવનના ઉંબરે આવેલા નંદાના પુત્ર અભયે એક દિવસ માને કહ્યું : “મા! મારા બાપુ ક્યાં છે?”
તુટેલી–જર્જરિત લાકડાની પેટીમાં મૂકેલી એક હાંડલીમાં સાચવી રાખેલી સોનાની મુદ્રિકા કાઢી નંદાએ અભયના હાથમાં મૂકીને કહ્યું : “હું જાણતી નથી બેટા, કે તારા પિતા શ્રેષ્ઠી છે કે સેનાપતિ છે. માત્ર આ મુદ્રિકા તારા પિતાની છે, અને મગધની રાજધાની રાજગૃહીમાં એ રહે છે.”
ચાલે મા, રાજગૃહીમાં જઈ એમને શોધી કાઢીએ.”
અભય અને નંદા રાજગૃહીને પાદર આવ્યાં. એમણે એક ખેડૂતને ઘેર ઉતારો કર્યો. પછી માતાને પ્રણામ કરી, આશ્વાસન આપી, અભય એના પિતાની ખોજમાં નીકળી પડયો.
છેલ્લા દશ વર્ષથી મગધપતિ શ્રેણિકના જીવનમાં મોટો પલટો આવ્યો છે. વ્યભિચારી અને વ્યસની મિત્રોની મંડળીને એણે વિદાય આપી છે. ભગવાન મહાવીરના ઉપદેશથી એણે મદિરા, માંસ અને વ્યભિચાર છેડ્યાં છે. પ્રભુના ધર્મોપદેશથી એનામાં ધર્મવૃત્તિ પ્રગટી છે; લેકો પ્રત્યે પ્રેમ અને દયાનાં ઝરણું ફૂટ્યાં છે. પ્રજાનું સુખ એ જ એની ચિંતા છે. કૂવા, વાવ અને તળાવો ઠેરઠેર બંધાવી એણે પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને અહિંસા રાખવા પ્રધાને અને રાજ્યના અધિકારીઓને આજ્ઞા આપી છે. | મહારાજા શ્રેણિકને રાજકાજમાં મદદ કરવા માટે ચારસે નવાણુ મંત્રીઓ છે, પણ તેમાં મહામંત્રીની જગ્યા લે એ કઈ પણ વિચક્ષણ અને બુદ્ધિમાન પુરુષ હજી એની નજરે ચડતો નથી. એ હોદ્દા પર તે મહાપ્રતાપી અને બુદ્ધિને ભંડાર હોય એ જ માણસ શોભે, એટલે જુદી જુદી યુક્તિથી એવા માણસની શોધ થઈ રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org