Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
७४
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ આ વાતનું સમાધાન આપતાં ડે. જહોન મેક ટેગાર્ટ પિતાના “હ્યુમન ઈમેટલીટી એન્ડ પ્રોએકઝીસ્ટન્સ’ નામના પુસ્તકમાં કહે છે કે આ વાત પણ ખબર નથી. જે બાળકને આત્મા પોતાના ભાવી પિતાના સંસ્કાર જેવા જ સંસ્કાર ધરાવતો હોય તે આત્મા તે જ પિતાને ત્યાં જન્મ પામે છે, ત્યારે આવું બને છે. એટલે હવે એમ તે ન જ કહી શકાય કે પિતાના સંસ્કાર બાળકમાં ઊતર્યા. આગળ વધતાં, લેખક એક દષ્ટાન્ત આપીને પોતાની વાત સમજાવતાં કહે છે કે અમુક માથા ઉપર અમુક હેટ બરોબર ફિટ બેસી ગઈ તેથી એમ નથી કહેવાતું કે માથાની જે ગોળાઈ હતી તે હેટમાં ઊતરી ગઈ માટે માથામાં હેટ ફિટ બેસી ગઈ; બલકે અહીં એમ જ કહેવાય છે કે જેવી ગોળાઈ માથાની હતી તેવી જ ગળાઈ જે હેટની હતી તે બેય એક સ્થાને ભેગાં થઈ ગયાં. ૧૪ આ જ વાતને
ન્યુ ટેસ્ટામેન્ટના શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે જે લોહીમાંસમાંથી બને છે તે લેહી-માંસ છે, જે આત્મામાંથી આવે છે તે આત્મા જ છે.
બ્રાઈડે મફીના પુનર્જન્મની પાંચ ટેપરેકોર્ડો સાંભળનારામાંથી ઘણાઓએ એ પ્રશ્ન કર્યો છે કે શું એ રીતે અમારા પૂર્વજન્મની સ્મૃતિ પણ તાજી કરાવી શકાય ખરી? આને ઉત્તર આપતાં શ્રી મેરી બર્નસ્ટેઈન કહે છે કે ના; આજે તે નહીં, કેમકે જેની તેવી સ્મૃતિ તાજી કરાવવાની છે તેનું મનોબળ અસાધારણ રીતે મજબૂત હોવું જરૂરી છે. રૂથ સાયમન્સ જેવું દઢ મનોબળ બહુ જ વિરલ વ્યક્તિમાં મળી શકે.
વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવવાના પ્રયોગથી જૈન દર્શનને માન્ય એવું એક વિધાન સિદ્ધ થાય છે કે એક જ આત્માની સ્ત્રી કે પુરુષ વગેરે તરીકેની જાતિ સદા અવસિથત રહેતી નથી, પરંતુ બદલાઈ પણ જાય છે. આ વાતને આ પ્રયોગના બધા જાણકારોએ સમર્થન આપ્યું છે. શ્રી એડગર કૈસીએ પણ આજ વાત કહી છે. ૧૫ અસ્તુ.
વશીકરણવિદ્યાના પ્રયોગોથી આત્માનું અમરત્વ, પૂર્વજન્મ અને પુનર્જન્મ, દેવલોક, સંસ્કારનું પ્રચંડ બળ, જાતિનું પરિવર્તન વગેરે અનેક બાબતો સિદ્ધ થઈ જાય છે. આ વિષયનો ઊહાપોહ કરતા ઘણા ગ્રંથો લખાયા છે; જેવા કે ડો. આર. સી. હોનસનનું
ધ ઈમ્પ્રીઝન્ડ પ્લેન્ડર'; રાફ શીલેનું “પ્રોબ્લેમ ઓફ રીબર્થ'; જન સમિનારાનું . 98. The man whose nature has certain characteristics when he was about to be reborn, would be reborn in a body descended from ancestors of a similar character. It would be the character of his ancestors and its similarity to his character which would determine the fact that he was reborn in that particular body rather than in another. The shape of the head does not determine the shape of the hat, but it does determine the selection of this particular hat for this particular head.
–એજન, પૃ. ૨૧૪. (ડો. જહોન મેક નાટકૃત “હ્યુમન ઇમેટીલીટી ઓફ પ્રીએઝીસ્ટન્સ’ પુસ્તકમાંથી ઉદ્ધત ) 24. These findings, incidentally, are suported by the readings of Edgar Cayce, who maintained that race, nationality or sex might alter from one life experience to the next.
-એજન, ૫ ૨૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org