Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્નેહતંતુના તાણાવાણુ
લેખકઃ પૂ. આ. ભ. શ્રી વિજયમસૂરીશ્વરપ્રશિષ્ય પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજીના પ્રશિષ્ય પૂજ્ય મુનિ શ્રી ધુરંધરવિજ્યજી
કમળવનના દર્યને જાણે હિમવર્ષાએ ઠીંગરાવી નાખ્યું હતું ? નયનમને હર સાકેતનગરીના સુંદર રાજમાર્ગો અને એની નમણી શેરીએ આજે એક વિચિત્ર દશ્યથી વિરૂપ બની ગયાં હતાં.
એક બાવરી નારી એક પુરુષના શબને ખભે નાખીને શેરીઓ અને રાજમાર્ગો વટાવીને સ્મશાનભૂમિ તરફ નાસી રહી હતી–જાણે કેઈ મહાભય પાછળ પડી હોય અને એનાથી નાસી છૂટવા મથતી હોય એમ એ ઝડપથી ચાલી જતી હતી. એના પગ જાણે ધરતીને સ્પર્શતા જ ન હતા. અને પૂર્ણ કાય પુરુષના શબને ભાર એને જરાય થકવત ને હતે. એ શબનું બેડોળ રૂપ અને એમાંથી પ્રસરતી દુર્ગંધ પણ એને અકળાવી શકતાં ન હતાં. એના અંતરમાં તે એક જ રટના હતીઃ ક્યારે દયા-માયા વગરનાં માનવીઓથી ઊભરાતું આ નગર દૂર થાય અને ક્યારે હું મારા આ પ્રિયતમની સાથે વનવગડાના વૈરાન, શાંત, એકાંત સ્થાનમાં જઈ પહોંચે.
તમાશાને તેડાની જરૂર ન હોય ? એ જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાં ત્યાં નગરનાં નર-નારીઓ ટેળે વળતાં. કેઈ એની વેદનાભરી દશા જોઈ કરુણાભર્યો નિસાસો નાખતાં તે કઈ વળી ભૂતને વળગાડ વળગે હોય એવી ગહલિક જેવી એની દશા જોઈને કતૂહલને લઈને એને ઉપહાસ કરવામાં આનંદ માનતાં.
પણ એ નારીને તે ન એ કરુણાની કઈ કિંમત હતી કે ન લેકેના કુતૂહલ તરફ કેઈ અણગમે હતે. પ્રાણપ્રિય પતિના વિચારમાં એનું સંવેદનાત્ર મુરઝાઈ ગયું હતું. દેરંગી દુનિયાની પણ એને કશી ખેવના રહી ન હતી!
ભલા એવું તે શું બન્યું હતું કે એક નારી પિતાના પતિના મૃત દેહને ઊચકીને આમ દર-બ-દર ભટકતી ફરતી હતી? સાંભળે ત્યારે એ વાત –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org