Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહેસૂવાર સ્વામીને મારવા બેઠા છે! એના બદલે તમે જ બધા મરે ને! મારે પ્રિયંકર તો સે. વરસને થશે! જુઓ, એ મને કંઈક વાત કરવા માગે છે! દૂર હટી જાઓ તમે બધા.”
પિતાનું હૈયું ભાંગી ગયું અરેરે, પિયણ જેવી પુત્રીનું આ તે કેવું દુર્ભાગ્ય !
વૈશ્રમણ શ્રેષ્ઠી અને બીજાની સમજૂતી પણ નકામી ગઈ સુંદરી પ્રિયંકરના શબથી તસુભાર પણ આઘી ન ખસી. હવે શું કરવું એની સૌ લાચારી અનુભવી રહ્યા. ધીમે ધીમે સ્વજને વિદાય થયા. બાકી રહ્યા બે ઘરના સ્વજને. ગામ આખામાં સુંદરીની નેહઘેલછાની વાત પસરી ગઈ.
બન્ને મિત્ર-વેવાઈઓએ મન વાળ્યું કે દુઃખનું ઓસડ દાડા ! વખત વીતશે એટલે આપોઆપ સુંદરીનું ભાન ઠેકાણે આવશે. પણ એમની એ આશા ઠગારી નીવડી : ઘડી વીતી, પ્રહર વીયે, દિવસ પણ આથમે, છતાં સુંદરી ત્યાંથી બેઠી ન થઈ તે ન જ થઈ!
પછી તે શબ ગંધાવા લાગ્યું અને સ્વજને વારે વારે સમજાવવાને બદલે સતામણી કરવા લાગ્યા. છતાં સુંદરીને પ્રિયંકર મરી ગયો છે એ ન સમજાયું તે ન જ સમજાયું ! એને તો દઢ આસ્થા હતી કે મારે પ્રિયંકર મરે નહીં અને મને એકલી મૂકીને ક્યાંય જાય નહીં. આ બધા મારા વેરી બની બેઠા છે! મંત્ર-તંત્રવાદીઓના પ્રાગે અને સુખીએની નિંદા પણ નકામાં નીવડયાં!
છેવટે સગાંઓની સતામણું અસહ્ય બની એટલે પ્રિયંકરના શબને ઊચકીને ખભે નાખીને એ ઘર છોડીને ચાલતી થઈ. ઘર એને મન સ્મશાન જેવું અકારું થઈ પડયું હતું; એ અત્યારે સ્મશાનની ભૂમિને ઝંખતી હતી અને નગરની શેરીઓ અને નગરના રાજમાર્ગો વીધીને ઝડપથી સમશાન તરફ જઈ રહી હતી.
આ કૌતુકને જેનારાઓને કંઈ પાર ન હતું, પણ એના માર્ગને રોકનાર ત્યાં કોઈ ન હતું !
સુંદરીએ તો સ્મશાનમાં વાસ કર્યો હતો, પણ એની કહાની ઘર ઘરમાં ચાલતી હતી ! - પ્રિયંકર અને સુંદરીનાં માતા-પિતાની દશા તો કરુણાનેય આંસુ આવે એવી થઈ ગઈ હતી : કેવી શાણી-સમજણ દીકરી! અને એને કે ભયંકર વળગાડ વળગ્યું હતું ! ભૂત-ડાકણને વળગાડ પણ આના કરતાં સાર! | શબ તે દુર્ગધને પૂડ અને કીડાઓનું ધામ બન્યું હતું. પણ સુંદરીને ન એની કેઈ સૂગ હતી કે ન એનું જરાય વિસ્મરણ થતું હતું! એ તે આઠે પ્રહર અને સાથે ઘડી એની પાસે જ બેસી રહેતી અને જાણે બીમાર પ્રિયંકરની સેવા કરતી હોય એવા જ ચાળા કર્યા કરતી. એનાં ઊંઘ અને આરામ, ક્ષુધા અને તૃષા હરાઈ ગયાં હતાં. એનું પિતાનું જ રૂપ એવું બિહામણું બની ગયું હતું કે ભય પણ એનાથી જાણે સો ગાઉ નાસતો!
- પ્રિયંકર વગરના જીવનની એ કલ્પના જ નહોતી કરી શકતી. અને ચિરંજીવ પ્રેમની ભ્રમણામાં એ એક અતિકરુણ મણની જાળ રચી બેઠી હતી કે “મારો પ્રિયંકર તે અમર છે! એ મૃત્યુ પામી શકે જ નહીં !” આવી પ્રેમદીવાની નારીને કેણુ સમજાવી શકે કે એને પ્રિયંકર ક્યારને એને છેડી ગયો છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org