Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહત્સવ-2ધ દુઃખ આત્મવિજ્ઞાનવિનાનાઓથી છેદી શકાતું નથી, કારણ કે જ્ઞાન વિનાના તપનું ફળ નહિવત છે.”
: “માટે, બીજી બધી આળપંપાળ મૂકી દઈને રત્નત્રયના પ્રાણભૂત આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. અને...સ્વાનુભૂતિનું જ નામ આત્મજ્ઞાન છે; આત્મજ્ઞાન એ એનાથી જુદી કઈ ચીજ નથી.”૬૨
અને તે (અનુભવ) અસંભવિત છે એવુંયે નથી. જાતની કીતિ કે યશોગાથાની ખેવના જેવી પિતાની ક્ષુદ્ર કામનાઓની તૃપ્તિ માટે જેટલી મહેનત માણસ કરે છે, તેના કરતાં આ પ્રયાસ વધારે મુશ્કેલીભર્યો નથી. આમાં તે પોતાના મન જોડે જ યુદ્ધ કરવાનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના “gi ગિળેઝ અપાળ, સમે વરણી નમો’ ૬૩ એ સૂત્રને પિતાને જીવનમંત્ર બનાવી દઈ સર્વત્ર વીખરાયેલી પિતાની ચિત્તવૃત્તિઓનો નિરોધ કરી, ચિત્તને એકાગ્ર કરવાને અભ્યાસ રાખવાને છે,”૬૪ જેથી ઈચ્છાનુસાર તેને સ્વરૂપમાં જોડી શકાય અને, ત્યાં એને લય કરવા દ્વારા, આત્માનું અપક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા લાધે.
પ્રારંભમાં એ કામ નીરસ અને નિષ્ફળ લાગે છે, પણ સંકલ્પબળને આધાર લઈને, અનેક વારની નિષ્ફળતાઓને અવગણીને, ખંત અને વણથંભ્યા અથાક પ્રયત્નથી તેને જ કાબુમાં લેવાનું છે. આ કાર્ય જે પાર ઉતારે છે તેનું જીવન પ્રસન્નતાથી સભર બની રહે છે; માનવજીવનનું ખરું ફળ મેળવી તે કૃતાર્થ બની જાય છે. - “આ માર્ગે જનાર માટે એક ઉત્સાહપ્રેરક હકીકત એ છે કે આ કાર્યમાં સાધકને સદા પિતાની હૃદયગુફામાં બિરાજમાન પરમગુરુ” તરફથી ગુપ્ત રીતે પ્રેરણા, માર્ગ, દર્શન અને સહાય મળતાં જ રહે છે. આ એક નક્કર હકીકત ( fact) છે એ અનુભવ આ માર્ગે ચેડાંક જ પગલાં મૂકનારને થયા વિના નથી રહેતો. પછી તે તેનું કામ એટલું જ રહે છે કે એ અવાજ સાંભળવા સદા સજાગ રહી પૂરી શ્રદ્ધાથી એનું અનુ. સરણ કરવું.”૬૫
અમદાવાદ વિ. સં. ૨૨૩; ૫ ૫ શુકલા ૧૨, - તા. ૨૩ ૨-૭ ૬૨. “મારમાર જમવં સુલતાનને ઇંતે . તરસાડથર વિજ્ઞાનીૌછેતું ન શયતે |
टीका-इह सर्व दुःखमनारनविदा भवति, तदात्माज्ञानभवं प्रतिपक्षभूतेनात्मज्ञानेन शाम्यति
યમુનયતિ, તમ વ વારો . નનું કર્મક્ષયદેતુઃ પ્રધાન તા ૩ .• • યાદૃ, તવરાપિ आस्तामन्येनानु ठानेन तदात्माज्ञानभवं दुःखमाल वेज्ञ नहीनैर्नच्छेतुं शक्यते, ज्ञानमन्तरेण तपसोऽल्पफलत्वात् । .... तत् स्थितमेतत् --- बाद्य विषयव्य मोहमपहाय रत्नत्रयसर्वस्वभूते અરમાને પ્રતિત કર્યું .અજ્ઞાનં ૨ ... માનઃ વિટૂચ સ્વસંવેદનમેવ મૃતે, તોડવાના નં નામ ”
–સટીક રોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩. પિતાની જાત ઉપર જય મેળવ, એ તારે પરમ વિજય બની રહેશે. બીજા બધા
વિ એની આગળ ફિક્કા લાગશે.” ૬૪-૬૫ “અનામી' ઉપનામથી લેખકે લખેલ એક લેખ “પાયાનું કામ” (“ધર્મચક',
જૂન ૧૯૬૨)માંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org