Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ
૭૫ મેની મેન્શન્સ, થોમસ સુગરનું, “ઘેર ઈઝ એ રિવર; ઈવા માટનનું “રીંગ ઑફ રીટર્ન” વગેરે.
રૂથ સાયમન્સના આયર્લેન્ડના ભૂતપૂર્વ જીવનની વાત સાંભળીને એક પત્રકારે તપાસ કરાવી. એ વાત જાણીને સાનંદાશ્ચર્ય થશે કે જ્યારે એ તપાસ કરવામાં આવી ત્યારે ઘણા પ્રયત્ન બાદ ઘણી ઘણી વાતોને સંવાદ પ્રાપ્ત થયો. આ અંગે જેમને વિસ્તારથી જાણવું હોય તેમણે આ લેખકનું “ધ સર્ચ ફોર બ્રાઈડે મફ' પુસ્તક જોઈ લેવું.
આપણે તે અહીં એટલું જ જણાવવું છે કે પાશ્ચાત્ય સંસ્કારને ગળથુથીમાં જ પામેલા કેટલાક માણસે આ રીતે આત્મા અને તેને પુનર્જન્મની માન્યતાની વાતેના ખૂબ ઊંડાણ સુધી પહોંચી જાય અને તે પછી પરિશ્રમ વેઠીને મોટાં પુસ્તક પ્રગટ કરે અને તેમાં જૈન દર્શનને ખૂબ જ અનુકૂળ વાતે જોવા મળે ત્યારે હૈયું આનંદથી છલકાઈ જાય એ સ્વાભાવિક છે.
વશીકરણવિદ્યાના પ્રગથી જે આત્માનું અમરત્વ સિદ્ધ થતું હોય, તે એ અમર આત્માના ભાવીની જ ચિંતા કરવાનું ઉચિત નથી શું ? જે વર્તમાન જીવનના સુખદુઃખના મૂળમાં જન્માંતરના સંસ્કાર કર્મ દ્વારા કામ કરતા સિદ્ધ થતા હોય તે ભાવી જમેના સૌંદર્ય માટે વર્તમાન જીવનને સુંદર સંસ્કારથી સભર બનાવવાનું અનિવાર્ય નથી શું?
અને છેલ્લી વાત. અગમનિગમની આવી વાત કહી જનારા સર્વજ્ઞ ભગવંતોની તમામ વાતમાં અપ્રતિહત શ્રદ્ધા મૂકી દેવામાં હવે આપણે પળભરાય વિલંબ કરીશું ખરા ? એ શ્રદ્ધાને અનુરૂપ જીવન બનાવવામાં લેશ પણ ઉદાસીનતા દાખવીશું ખરા ? અગમ વસ્તુને જાણ્યાને સાર જીવનને ઉચ્ચમાગી અને વિશુદ્ધ બનાવવાને નિશ્ચય અને પુરુષાર્થ કરે એ જ છે.
બાજરી,
છે
21
જ
*: 3:ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org