Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧ : ખાસ સમારÀા અને ઘટનાએ
૧૩૩
ના વ્યાખ્યાનખંડમાં, જાણીતા રાષ્ટ્રીય કાર્યકર શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાના હસ્તે કરાવવામાં આવ્યું હતું.
શ્રી ભાળાભાઈ જેશિંગભાઈ દલાલ—વિદ્યાલયની અમદાવાદ શાખાના વિદ્યાર્થીગૃહ માટે શેઠ શ્રી ભેાળાભાઈએ એક લાખ રૂપિયા વિદ્યાલયને આપ્યા, તે નિમિત્તે તેઓને અભિન’દન આપવાના સમારંભ, તા. ૨૪-૧૨-૧૯૪૬ના રોજ, શ્રી ખીમજી માંડણ ભુજપુરિયાના પ્રમુખપદે ચાજવામાં આવ્યા હતા. આ સમારંભમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જેએ ભેાળાભાઈ શેઠ પ્રત્યે મિત્રતાની લાગણી ધરાવતા હતા, તેઓએ હાજર રહી પ્રસંગને વિશેષ ગૌરવશાળી બનાવ્યેા હતા.
શ્રી મેાતીથ દ ગિરધરલાલ કાપડિયા—શ્રી મેાતીચ'દભાઈએ સમાજ, દેશ, ધમ અને શિક્ષણ તથા સાહિત્યની ઘણી સેવાએ મજાવી હતી. તેમાંય વિદ્યાલયની તેમની સેવાએ તે અસાધારણ અને અમૂલ્ય હતી. વિદ્યાલયના અત્યારના માનદ્યમત્રી અને તે વખતે વ્યવસ્થાપક સમિતિના સભ્ય શ્રી ચ'દુલાલ વમાન શાહ શ્રી મેાતીચંદ્રભાઈ પ્રત્યે ખૂબ આદરની લાગણી ધરાવતા હતા. એમને તથા બીજા કાકાને પણ શ્રી મેાતીચંદભાઈની આવી દીર્ઘકાલીન સેવાઓનું બહુમાન કરવાના વિચાર આવતા રહેતા હતા. શ્રી ચંદુભાઈ એ એમના મેાટાભાઈ શ્રી રતિભાઈ તથા ખીજાઓ સાથે પરામર્શ કરીને આ માટે પૂર્વભૂમિકા તૈયાર કર્યા બાદ શ્રી કકલભાઈ ભુદરભાઈ વકીલની પ્રેરણા અનુસાર તારીખ ૭–૯–૧૯૪૭ના રાજ “ શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા સન્માન સમિતિ”ની રચના કરવામાં આવી. શ્રી કકલભાઈ વકીલને એના પ્રમુખ, શ્રી ચંદુલાલ વમાન શાહને એના મંત્રી અને શ્રી વિનાયક કુંવરજી શાહને એના કાષાધ્યક્ષ અનાવવામાં આવ્યા.
સમિતિએ દોઢેક વર્ષમાં આશરે પાણા લાખ ઉપરાંતના સન્માન–નિધિ એકત્ર કર્યાં. તા. ૨૦-૩-૧૯૪૯ના રાજ મુ`બઈમાં સુંદરાબાઈ હોલમાં, સર મણિલાલ માલાભાઈ નાણાવટીના પ્રમુખપદે, શ્રી મેાતીચ ંદભાઈનું બહુમાન કરવાના ભવ્ય સમાર’ભ ઊજવવામાં આવ્યા. આ સમાર’ભમાં મુ`બઈના દરેક ક્ષેત્રના જૈન-જૈનેતર આગેવાન સગૃહસ્થા અને સન્નારીએ તેમ જ જનસમૂહની હાજરી, આ પ્રસંગે ઠેરઠેરથી નામાંકિત વ્યક્તિએ તરફથી આવેલ સેંકડા સંદેશાઓ અને જુદા જુદા વક્તાઓએ શ્રી મેાતીચંદભાઈના વ્યક્તિત્વ અને એમની સેવાઓનાં મુક્ત મને કરેલ ગુણગાન ઉપરથી શ્રી મેાતીચંદભાઈની સેવાઓની સુવાસ કેટલી વિસ્તરેલી હતી એના કઈક ખ્યાલ આવી શકતા હતા.
પ્રમુખશ્રીએ શ્રી મેાતીચંદભાઈની વિશેષતા દર્શાવતાં ચેાગ્ય જ કહ્યુ` હતુ` કે—
""
આપણા સમાજમાં લેખકો થાડા છે, તેમાં તેમનું સ્થાન છે. વક્ત તેથી પણ ઘેાડા છે, તેમાં પણ તેમનું સ્થાન છે; અને સેવકો તેા ગણ્યાગાંઠયા જ છે, તેમાં પણ તેમનુ સ્થાન છે.”
આ પ્રસંગે શ્રી મેાતીચંદભાઈ ને અભિનંદનપત્ર તથા રૂા. ૭૦૦૦૧)ની સન્માન થેલી `ણુ કરવામાં આવી હતી, અને બીજી અનેક સંસ્થાઓ તરફથી પણ ફૂલહાર કરીને એમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સન્માનના રચનાત્મક જવાબરૂપે શ્રી મેાતીચંદભાઈએ રૂા. ૭૦૦૦૧)માં પેાતા તરફથી રૂા. ૫૦૦,૧) ઉમેરીને એ રકમ જૈન સાહિત્યના પ્રકાશનને માટે પેાતાની પ્રાણપ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org