Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા ખૂબ નામના મેળવી. મુનિ વલભવિજયજી આ પ્રસંગના સાક્ષી હતા. જ્ઞાનને અને જ્ઞાનીને મહિમા કેટલે જબરજસ્ત છે તે તેઓ આ પ્રસંગ ઉપરથી પણ વિશેષ સમજ્યા, અને દાદાગુરુનો પ્રભાવ વિશેષ સમજતા થયા: આવા શીલ-પ્રજ્ઞાના વારિધિ અને વાત્સ-. લ્યનિધિ પાસેથી તે જ્ઞાન-ક્રિયાનું બળ જેટલું પ્રાપ્ત કરી શકાય એટલું ઓછું. વિ. સં. ૧૯૪૯ નું ચાતુર્માસ જડિયાલાગુરુમાં કર્યું.
દાદાગુરુના પવિત્ર સાંનિધ્યમાં સાચા ક્ષમાશ્રમણ, સમતાના સાગર, ધીર, ગંભીર, ઉદાર શ્રી કાંતિવિજયજી મહારાજના સંપર્કને લાભ મળે એની પણ મુનિશ્રીના ચિત્ત ઉપર ઘણી સારી અસર થઈ અને તેઓ એમના પ્રત્યે એક પ્રકારનું આદર-બહુમાનભર્યું આકર્ષણ અનુભવી રહ્યા. જોગાનુજોગ શ્રી કાંતિવિજયજી મહારાજનું વતન પણ વડેદરા હતું. બે મુનિવરો વચ્ચેની ધર્મસ્નેહની ગાંઠ વધારે દૃઢ થઈ.
આ બધો સમય પંજાબના જૈન સંઘના નવસર્જનનું કામ ખૂબ વેગપૂર્વક ચાલતું હતું. આચાર્ય મહારાજ એ માટે રાત-દિન પ્રયત્ન કરતા રહેતા હતા. અને પિતાના સમગ્ર સાધુ સમુદાયને પણ એમણે એ કામમાં જ જેડી દીધો હતો. સૌ આચાર્ય દેવની આજ્ઞા પ્રમાણે જ જુઠાં સ્થાનોમાં રહીને પોતાની સમગ્ર શક્તિ લગાવીને નિષ્ઠાપૂર્વક એ કામ કરી રહ્યા હતા. જાણે પ્રતાપ અને પ્રકાશ વેરતા સૂર્યની આસપાસ તેજસ્વી ગ્રહોનું એક વર્તુળ રચાઈ ગયું હતું. મુનિ શ્રી વલ્લભવિજયજીની ઉંમર તો હજી નાની હતી, પણ શક્તિ, કાર્યસૂઝ અને ભાવનાની સંપત્તિ એમની વર્ધમાન હતી, એટલે એમને પણ આ કાર્યમાં સેંધપાત્ર ફાળે હતો.
વિ. સં. ૧૯૫૦નું ચોમાસું જીરામાં થયું. ચોમાસા પછી શ્રી કાંતિવિજયજી મહારાજ તથા શ્રી વીરવિજયજી મહારાજ પટ્ટીથી વિહાર કરીને આચાર્ય મહારાજને વંદના કરવા જરા આવ્યા. મુનિ વલલભવિજયજીને આચાર્યશ્રીના પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર બનેલા જોઈને તેઓ ખૂબ રાજી થયા. એક દિવસ હસતાં હસતાં આચાર્યશ્રીએ કાંતિવિજયજી મહારાજને કહ્યું: “જેજે, મેં અહીં તૈયાર કરેલ સાધુઓને તમે ક્યાંક ગુજરાતમાં ઉપાડી જતા! પંજાબને માટે મેં એમને તૈયાર કર્યા છે, અને પંજાબને એમની પાસેથી ઘણી આશા છે.”
સૌ ભદ્રપરિણામી અને શાસનની પ્રભાવનામાં જ કૃતાર્થતા અનુભવનારા સંત હતા. અને ગમે ત્યાં રહીને આત્મકલ્યાણ અને ધર્મને પુનરુદ્ધાર કરવાનું જ એમનું જીવનવ્રત હતું. એટલે આવો કોઈ ભય તો હતો જ નહીં; પણ આચાર્ય મહારાજના આ શબ્દોમાં એમની પંજાબની સંભાળ માટેની ચિંતા અને મુનિ શ્રી વલ્લભ વિજયજી વગેરે મુનિવરો પ્રત્યેની લાગણીનું પ્રતિબિંબ જોઈ શકાય છે. - વિ.સં. ૧લ્પ૧નું ચોમાસું અંબાલામાં કર્યું. આ દરમ્યાન આચાર્ય મહારાજે જોઈ લીધું કે જિનમંદિર અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા દ્વારા જૈન સંઘની શ્રદ્ધાને પરિમાર્જિત અને સ્થિર કરવાનું એક યુગકાર્ય પૂરું થયું હતું, અને સરસ્વતી મંદિરની સ્થાપના દ્વારા જૈન સંઘને વધારે તેજસ્વી બનાવવાનું બીજું યુગકાર્ય સામે જ આવીને ખડું છે. અને " એમણે પોતાનું શેષ જીવન એ કાર્યમાં જ વિતાવવાનું વિચાર્યું. શ્રાવક સમુદાય આગળ એમણે પોતાની આ ભાવના વ્યક્ત પણ કરી હતી, અને મુનિ શ્રી વલ્લભવિજયજી એ બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org