Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
છ આરાનું સ્વરૂપ.
સગ ૨ જે દીપશિખા અને તિષિકા નામના કલ્પવૃક્ષે અત્યંત ઉદ્યોત આપે છે. ચિત્રાંગ નામના કલ્પવૃક્ષો વિચિત્ર પુકાની માળાઓ આપે છે. ચિત્રરસ નામનાં કલ્પવૃક્ષો સેઈઆની પેઠે વિવિધ જાતનાં ભેજન આપે છે. મગ નામનાં કલ્પવૃક્ષો ઇચ્છિત ભૂષણો (ઘરેણાં) આપે છે. ગેહાકાર કલ્પવૃક્ષ ગંધર્વ નગરની પેઠે ક્ષણવારમાં સારાં ઘર આપે છે અને અનગ્ન કલ્પવૃક્ષ ઈચ્છા પ્રમાણે વો આપે છે. એ તમામ વૃક્ષે બીજા પણ અનેક ઈચ્છિત અર્થ આપે છે.
તે કાળે ભૂમિ શર્કરા કરતાં પણ અત્યંત સ્વાદિષ્ટ હોય છે અને નદી વગેરેનાં જળ અમૃત સમાન મધુરતાવાળાં હોય છે. તે આરામાં અનુક્રમે ધીમે ધીમે આયુષ્ય, સંહનનાદિક અને કલ્પવૃક્ષોને પ્રભાવ ન્યૂન ન્યૂન થતો જાય છે.
બીજા આરાના પ્રારંભમાં મનુષ્ય બે પાપમના આયુષ્યવાળા, બે કોશ ઊંચા શરીરવાળા અને ત્રીજે દિવસે ભજન કરનારા હોય છે. તે કાળે કલ્પવૃક્ષો કાંઈક ન્યૂન પ્રભાવ વાળા, પૃથ્વી ન્યૂન સ્વાદવાળી અને જળ પણ માધુર્યમાં પ્રથમથી જરા ઉતરતાં હોય છે. પહેલા આરાની જેમ આ આરામાં પણ, હસ્તીની શુંઢમાં જેમ ઓછી ઓછી સ્થૂળતા હોય છે તેમ સર્વ બાબતમાં અનુક્રમે ન્યૂનતા થતી જાય છે.
ત્રીજા આરાના પ્રારંભમાં મનુષ્ય એક પોપમ સુધી જીવનારા, એક ગાઉ ઊંચા શરીરવાળા અને બીજે દિવસે ભજન કરનારા હોય છે. આ આરામાં પણ પૂર્વની જેમ શરીર, આયુષ્ય, પૃથ્વીનું માધુર્ય અને કલ્પવૃક્ષને મહિમા ખૂન થતો જાય છે.
ચોથે આરે પૂર્વના પ્રભાવ (કલ્પવૃક્ષ, સ્વાદિષ્ટ પૃથ્વી અને મધુર જળ વગેરે થી રહિત હોય છે. તેના પ્રારંભમાં મનુષ્ય કેટી પૂર્વના આયુષ્યવાળા અને પાંચશે ધનુષ ઊંચા શરીરવાળા હોય છે. પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્ય સે વર્ષના આયુષ્યવાળા અને સાત હાથ ઊંચા હોય છે તથા છઠ્ઠા આરામાં ફક્ત સેળ વર્ષના આયુષ્યવાળા અને એક હાથ ઊંચા શરીરવાળા હોય છે. એકાંત દુઃખમાં નામે પહેલા આરાથી શરૂ થતા ઉત્સમ્પિણી કાળમાં એ જ પ્રમાણે પશ્ચાનુપૂવથી છ આરામાં મનુષ્ય જાણવા.
તે સાગરચંદ્ર અને પ્રિયદર્શના ત્રીજા આરાના અંતમાં ઉત્પન્ન થયા, તેથી તેઓ નવશે ધનુષના શરીરવાળા તેમજ પલ્યોપમના દશમાંશ આયુષ્યવાળા યુગલીઆ થયા. તેઓનું શરીર વાઇષભનારાચ સંહનનવાળું અને સમચતુરસ સંસ્થાનવાળું હતું. મેઘમાળા વડે જેમ મેરુપર્વત શોભે તેમ જાત્યવંત સુવર્ણની કાંતિવાળે તે યુગ્મધમી (સાગરચંદ્રને જીવ) પિતાની પ્રિયંગુ વર્ણવાળી સ્ત્રીવડે શેતે હતો.
અશોકદત્ત પણે પૂર્વ જન્મમાં કરેલા કપટથી તે જ ઠેકાણે વેત વર્ણવાળે, ચાર દાંત વાળો અને દેવહસ્તી જેવો હસ્તી થયો. એક વખતે સ્વેચ્છાએ તે હસ્તી ફરતે હવે તેવામાં તેણે યુગ્મધમી થયેલા પિતાના પૂર્વજન્મના મિત્ર (સાગરચંદ્ર)ને જોયા.
દશનરૂપ અમૃતની ધારાથી જેનું શરીર વ્યાપ્ત થયું છે એવા તે હસ્તીને બીજમાંથી જેમ અંકુર ઉત્પન્ન થાય તેમ સ્નેહ ઉત્પન્ન થયે, તેથી તેણે પિતાની શુંઢથી તેને
૧ અવસર્પિણીથી ઉલટી રીતે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org