Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 322
________________ પર્વ ૨ જુ વરદામકુમાર દેવનુ સાધવું. ૨૯૭ ઉદ્ધત ગ્રીવાવાળા ઘોડાઓ જેને જોડેલા છે એ જે મહારથ તે ઉપર આરૂઢ થયા. હાથી, ઘોડા, રથ અને પાયદલરૂપ ચતુરંગ સેનાથી ચાર પ્રકારની નીતિવડે જેમ શેભે તેમ શેલભતા, માથા ઉપર એક છત્ર અને પડખે બે ચામર મળી ત્રણ વાનાથી જાણે ત્રણ જગતમાં વ્યાપતા યશરૂ૫ વલ્લીઓના ત્રણ અંકુરો હોય તે વિરાજતા એ રાજા હાથમાં ધનુષ ધારણ કરીને સમુદ્રમાં રથના પૈડાની નાભિ જેટલા ઊંડા જળમાં રથ સહિત પિઠા. પછી જયલક્ષમીરૂપ નાટિકાની નાદીરૂપ ધનુષની પણછ તેણે હાથવતી બજાવી, અને ભંડારમાંથી રત્ન ગ્રહણ કરે તેમ ભાથામાંથી એક બાણ ખેંચ્યું. પછી ધાતકીખંડના મધ્યમાં રહેલા ઈશ્વાકાર પર્વતની જેવા તે બાણને ધનુષ સાથે જોડયું. પિતાના નામથી અંકિત થયેલા અને કર્ણને આભૂષણપણને પામેલા એ સુવર્ણનાં તીણુ બાણને રાજાએ કહ્યું સુધી ખેંચ્યું, અને આકાશમાં ગરૂડની જેમ પાંખેથી સુસવાટ કરતું તે બાણ માગધતીર્થના અધિપતિ તરફ છેડયું. નિમેષમાત્રમાં બાર જન સમુદ્ર ઓળંગીને તે બાણ માગધતીથકુમારદેવની સભામાં જઈને પડયું. અકાળે વિદ્યુત્પાતની જેમ પડેલા તે બાણને જોઈને તત્કાળ ભ્રકુટીના ભંગવડે ભયંકર એ દેવ કોપાયમાન થયું. પછી જરા વિચાર કરી પોતે ઊઠી તે બાણ હાથમાં લીધું એટલે તેમાં સગરચક્રીને નામાક્ષર જોવામાં આવ્યા. હાથમાં બાણ રાખી ફરીથી પિતાના સિંહાસન ઉપર બેઠે અને ગંભીર ગિરાથી પિતાની સભામાં આ પ્રમાણે બે-“જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સગર નામે હાલ બીજા ચક્રવત્તી થયેલ છે. થઈ ગયેલા, થવાના અને વર્તતા એવા મગધપતિઓએ ચક્રવતીઓને ભેટ કરવી તે તેમનું અવશ્ય કૃત્ય છે.” આવી રીતે કહીને ભેટ/વડે ભૂત્યની જેમ આચરણ કરતે એ ભાગધપતિ વિનય સહિત સગરચક્રીની સામે આવ્યું. તેણે આકાશમાં રહીને ચક્રીએ મૂકેલું બાણ તથા હાર, બાજુબંધ, કર્ણાભરણ, કટકાદિક આભૂષણે, નેપચ્ય અને દેવદૂષ્ય વરો રાજાને અર્પણ કર્યા. વાર્તિક જેમ રહેંદ્રને આપે તેમ માગધતીર્થનું જળ તેણે રાજાને અર્પણ કર્યું. પછી પદ્મકશ જેવી અંજલિ જેડીને . તેણે ચક્રવત્તીને કહ્યું-“આ ભરતક્ષેત્રમાં પૂર્વ દિશાના પ્રાંતભાગમાં એક સામંતની જેમ હું તમારે આદેશકારક થઈને રહેલો છું.' ચક્રીએ તેને ભૂત્યપણે કબૂલ રાખીને પોતાના દુર્ગપાલની જેમ સત્કારપૂર્વક વિદાય કર્યો. પછી ઉદય પામતા સૂર્યની જેમ પોતાના તેજથી દિશાઓને પૂરી દેતા સગરચક્રી સમુદ્રમાંથી રથ સાથે નીકળ્યા. ત્યાંથી પિતાની છાવણમાં આવીને રાજાઓમાં ગજેંદ્ર સમાન તે મહારાજાએ નાન અને દેવાર્ચનપૂર્વક પરિવાર સહિત પારણું કર્યું. અને ત્યાં માગધતીર્થના અધિપતિને અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો, કારણ કે સેવકોનું માહાત્મ્ય સ્વામી જ વધારે છે. ત્યારપછી સર્વ દિગ્ગવિજયની કમીઓને અર્પણ કરવામાં જામીન સમાન ચક્રરત્ન દક્ષિણદિશા તરફ ચાલ્યું. પિતાના સૈન્યથી પર્વત સહિત પૃથ્વીને ચલાયમાન કરતા ચકવસ્તી દક્ષિણ અને પશ્ચિમદિશાના મધ્યમાર્ગે ચક્રની પછવાડે ચાલ્યા. સર્વ દિગ્વિજય કરવામાં ૬૮ પ્રતિજ્ઞાવાળા સગરરાજા માર્ગમાં કેટલાએક રાજાઓને વૃક્ષોને જેમ પવન ઉખેડી નાંખે તેમ રાજ્યથી ઉઠાડી મૂકતા હતા, કેટલાએકને શાળીના છોડની જેમ પાછા રાજ્ય ઉપર બેસાડતા હતા, જાણે ઊંચા કીર્તિભ હોય તેવા કેઈને રાજ્ય ઉપર નવા ૧ સામ, દામ, ભેદ ને દંડ. A - 38 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371