Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 229
________________ પર્વ ૧ હું પરમાત્માને વંદનાથે ભરતરાયનું અષ્ટાપદે આગમન. ૨૦૫ શોકમાં ગ્રસ્ત થયેલા ચક્રી હાથને ટેકો આપનારા સેવકને પણ માર્ગમાં આડાં આવેલાં વૃક્ષની શાખાના પ્રાંત ભાગની જેમ દૂર કરતા હતા. સરિતાના વિસ્તારમાં ચાલતું નાવ જેમ તીરનાં વૃક્ષને પાછળ કરે તેમ આગળ ચાલતા છડીદારને તેઓ વેગથી પાછળ કરતા હતા. ચિત્તના વેગની જેમ ચાલવામાં ઉસુક એવા તેઓ પગલે પગલે ખલના પામતી ચામરધારિણીની રાડ પણ જોતા ન હતા. વેગપૂર્વક ચાલવાથી ઉછળી ઉછળીને છાતી ઉપર અથડાવાને લીધે ત્રુટી ગયેલા મોતીના હારને પણ તેઓ જાણતા હતા. પ્રભુના ધ્યાનમાં તેમનું મન હોવાથી તેઓ પાસે રહેલા ગિરિપાળને ફરીફરીને પ્રભુની વાર્તા પૂછવા માટે છડીદારધારા બોલાવતા હતા. ધ્યાનમાં રહેલા ગીની જેમ તે રાજા બીજું કાંઈ જેતા નહેતા અને કેઈનું વચન સાંભળતા નહોતા. ફક્ત પ્રભુનું જ ધ્યાન કરતા હતા. વેગવડે માર્ગને જાણે ટૂંકે-નાને કર્યો હોય તેમ પવનની જેમ ક્ષણવારમાં તેઓ અષ્ટાપદ નજીક આવી પહોંચ્યા. સાધારણ માણસની જેમ પાદચારી છતાં પરિશ્રમને ન જાણનારો ચઢી અષ્ટાપદ ઉપર ચડ્યા. શેક તેમજ હર્ષથી આકુલ થયેલા તેમણે પર્યકાસને બેઠેલા જગત્પતિને જોયા. પ્રભુને પ્રદક્ષિણા દઈ, વંદન કરી, દેહની છાયાની જેમ પડખે બેસી ચકવરી ઉપાસના કરવા લાગ્યા. પ્રભુને આ પ્રભાવ વર્તતાં છતાં ઈદ્રો આપણી ઉપર કેમ બેસી રહ્યા છે? એમ જાણીને હોય તેમ તે સમયે ઈદ્રનાં આસનો ચલાયમાન થયાં. અવધિજ્ઞાને આસનકંપનું કારણ જાણી ચાસડે ઈ છે તે વખતે પ્રભુની પાસે આવ્યા. જગત્પતિને પ્રદક્ષિણા કરી, વિષાદ પામી જાણે આળખી લીધા હોય તેમ ભગવંતની પાસે તેઓ બેઠા. ! આ અવસર્પિણીના ત્રીજા આરાના નેવાશી પક્ષ બાકી રહ્યા હતા ત્યારે માઘ માસની કૃષ્ણ ત્રયોદશીના પૂર્વાન્હ, અભિચિ નક્ષત્રમાં ચંદ્રને વેગ આવ્યો હતો તે સમયે પર્યકાસને બેઠેલા તે મહાત્મા પ્રભુએ બાર કાયવેગમાં રહી બાદર મનગ અને બાદર વચનગને રૂંધી દીધા. પછી સૂક્ષમ કાયયેગને આશ્રય કરી બાદર કાયથેગ, સૂમ મન ગ તથા સૂક્ષમ વચનગને રૂંધ્યા. છેવટે સૂક્ષમ કાયયોગને પણ અસ્ત કરીને સૂમક્રિય નામના શુકલધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રત્યે પ્રાપ્ત થયા. તે પછી ઉચ્છિન્નક્રિય નામને શકલધ્યાનનો ચેથા પાયે, જેને પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલો જ માત્ર કાળ છે તેને આશ્રય કર્યો. પછી કેવળજ્ઞાની, કેવળદર્શની, સર્વ દુખથી રહિત, અષ્ટકમ ક્ષીણ કરી સર્વ અર્થને નિષિત (સિદ્ધ) કરનાર, અનંત વીયે, અનંત સુખ અને અનંત ઋદ્ધિવંત-પ્રભુ બંધના અભાવથી એરંડફળનાં બીજની જેમ ઊર્ધ્વગતિવાળા થઈને સ્વભાવથી સરલ એવા માર્ગ વડે લોકોને પ્રાપ્ત થયા. દશ હજાર શ્રમણને પણ અનશનવ્રત લઈ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મન, વચન, કાયાના યુગને સર્વ પ્રકારે રૂંધી તેઓ પણ સ્વામીની જેમ તત્કાળ પરમપદને પામ્યા. પ્રભુના નિર્વાણ કલ્યાણક સમયે સુખના લેશને પણ નહીં જેનારા નારકીઓને પણ દુખાગ્નિ ક્ષણવાર શાંત થયો. તે સમયે મહાશોકથી આક્રાંત થયેલા ચક્રવત્તી વાથી પર્વતની જેમ તત્કાળ મૂચ્છિત થઈ પૃથ્વી ઉપર પડ્યા. ભગવંતના વિરહનું મોટું દુઃખ આવી પડયું, પરંતુ તે સમયે દુખ શિથિલ થવામાં કારણરૂપ રૂદનને કઈ જાણતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371