Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
પર્વ ૨ જુ પરમાત્માની દેશના-નંદીશ્વર દ્વીપનું વર્ણન.
૨૮૫ વાળી, તેટલા જ વિસ્તારવાળી અને આઠ જન ઊંચી એક મણિપીઠિકા છે. તે પીઠિકા ઉપર સર્વરત્નમય દેવચ્છેદક છે. તે પીઠિકાથી વિસ્તારમાં અને ઊંચાઈમાં અધિક છે. દરેક દેવછંદકની ઉપર રાષભ, વિમાન, ચંદ્રાનન અને વારિણુ એ ચાર નામવાળી પર્યક આસને બેઠેલી, પિતાના પરિવાર સહિત, રત્નમય શાશ્વત અહંતની એક સે ને આઠ આઠ સુંદર પ્રતિમાઓ છે. દરેક પ્રતિમાની સાથે પરિવારભૂત બે બે નાગ, યક્ષ, ભૂત અને કુંડધારી દેવાની પ્રતિમાઓ છે. બે બાજુ બે ચારધારી પ્રતિમાઓ છે અને દરેક પ્રતિમાના પૃષ્ઠ ભાગે એક એક છત્રધારી પ્રતિમા છે. દરેક પ્રતિમાની સમીપે ધૂપઘટી, માળા, ઘંટા, અષ્ટમંગળિક, ધ્વજ, છત્ર, તોરણ, ચંગેરી, નાનાં પુષ્પપાત્ર, (પટેલ) આસનો અને સોળ પૂર્ણકળશ તથા બીજા અલંકારે છે. ત્યાંની તળીઆની ભૂમિઓમાં સુવર્ણની સુંદર રજવાળી વાલુકા છે. તે દેવાયતના પ્રમાણે જ તેની આગળ સુંદર મુખમંડપ, પ્રેક્ષાર્થ મંડપ, અક્ષવાટિકા અને મણિપીઠિકા છે. ત્યાં રમણિક સૂપ અને પ્રતિમાઓ છે, સુંદર ચૈત્યવૃક્ષો છે, ઈદ્રધ્વજે છે અને નીચેના અનુક્રમે દિવ્ય વાપિકાએ છે. પ્રત્યેક અંજનાદ્રિની ચાર દિશાએ લાખ લાખ એજનના પ્રમાણુવાળી વાપિકાઓ છે, એટલે કુલ સાત વાપિકા છે તેમનાં નંદીષેણ, અમેઘા, ગોસ્તૃપા, સુદર્શના, નંદેત્તરા, નંદા, સુનંદા, નંદિવર્દના, ભદ્રા, વિશાલા, કુમુદાપુંડરીકિણી, વિજયા, વૈજયંતી અને અપરાજિતા એવાં નામો છે. તે પ્રત્યેક વાપિકાઓથી પાંચ સો જન પછી (ચારે દિશાએ) અશોક સમછંદ, ચંપક અને આગ્ર એ નામવાળાં મોટાં ઉદ્યા રહેલાં છે, તે પાંચ સો જન વિસ્તારમાં છે અને લાખ યેાજન લાંબા છે. તે દરેક વાપિકાઓની મધ્યમાં સ્ફટિકમણિના પાલાના આકારના અને સુંદર વેદિકા તથા ઉદ્યાનેવાળ સુશોભિત દધિમુખ પર્વત છે. તે ચેસઠ હજાર જન ઊંચા, એક હજાર યેાજન ઊંડા અને ઉપર તથા નીચે દશ હજાર
જનના વિસ્તારંવાળા છે. વાપિકાએાના આંતરામાં બે બે રતિકર પર્વતે છે, એટલે એક. દર બત્રીશ રતિકર પર્વત છે, દધિમુખ પર્વત તથા રતિકર પર્વત ઉપર અંજનગિરિની જેમ શાશ્વત અહં તેના ચૈત્ય છે. તે દ્વીપની વિદિશાઓમાં બીજા ચાર રતિકર પર્વતે છે, તે દશ હજાર યોજન લાંબા તથા પહેલા અને એક હજાર જન ઊંચા, શેભાયમાન, સર્વ રત્નમય, દિવ્ય અને ઝલરીના આકારવાળા છે. તેમાં દક્ષિણમાં રહેલા સૌધમેંદ્રના બે રતિકર પર્વતે અને ઉત્તરમાં રહેલા ઇશાનંદ્રના બે રતિકર પર્વની આઠ દિશાઓમાં તેમની આઠ આઠ મહાદેવીઓની આઠ આઠ રાજધાનીઓ છે, એટલે કુલ બત્રીશ રાજધાની છે. તે રતિકરથી એક લાખ જન ધર ને એક લાખ જનના પ્રમાણવાળી (લાંબી પહોળી) તથા જિનાલયેથી વિભૂષિત છે. તેનાં સુજાતા, મનસા, અસ્થિમાલી, પ્રભાકરા, પદ્મા, શિવા, શુચી, વ્યંજના, ભૂતા, ભૂતાવતસિકા, ગેસ્તૂપા, સુદશન, અમલા, અસરા, હિણી નવમીકા, રત્ના, રત્નચ્છયા, સર્વરના, રત્નસંચયા, વસુ, વસુમિત્રિકા, વસુભાગા, વસુંધરા, નંદેત્તરા, નંદા, ઉત્તરકુ, દેવકુ, કૃષ્ણ, કૃષ્ણરાજી અને રામરક્ષિતા એવાં નામ છે. તે નામે પૂર્વ દિશાના ક્રમથી જાણવાં. આ નંદીશ્વરદ્વીપમાં રહેલા બાવન જિનચૈત્યોમાં સર્વ ઋદ્ધિવાળા દેવતાઓ પરિવાર સહિત શ્રીમત અહં તેની કલ્યાણક તિથિઓએ અષ્ટાદ્ધિક ઉત્સવ કરે છે.”
તે નંદીશ્વરદ્વીપની ફરતે નંદીશ્વર સમુદ્ર છે, તે પછી અરુણદ્વીપ છે અને તેની ફરતે અરુણેદધિ નામે સમુદ્ર છે, તે પછી અરૂણવર દ્વીપ અને અરુણુવર સમુદ્ર છે, તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org