________________
लोगं च आणाए अभिसमेच्चा अकुओभयं ॥२२॥
(આચારાંગ) જિનની આશા છે કે અપૂકાય લોકનો ત્યાગ કરવો. અપૂકાયમાં જીવપણાનો નિશ્ચય કરીને સંયમનો સ્વીકાર કરે, અર્થાત્ પોતાના તરફથી કોઈને ભય પીડા ન આપે. અપૂકાય જીવો પણ સતત ભય સતાપથી પીડિત હોય છે તેથી તેનો આરંભન કરવા વડે તે જીવોની રક્ષા થાય અને પોતે પણ અભય ભાવને પામે.
અપૂકાય જીવોની યતના
અપૂકાય જીવોની રક્ષાર્થે સમુદ્ર, નદી, સરોવર, કૂવા, કુંડ, હોજ, બાથ અથવા ખુલ્લા નળનીચે બેસીને કેફૂવારા આદિથી સ્નાન ન કરવું પરંતુ પૂજાદિ માટે સ્નાન કરવું પડે તો પરિમિત પાણી વડે નિર્જીવ ભૂમિ પર સ્નાન કરવું જોઈએ. જીવે અનાદિ વિભાવ દશામાં સાતાની જ શોધ કરી છે તેથી વધારે સાતા અને શરીર શોભા જ્યાં થાય ત્યાં જવા માટે તે ઉસુક થાય છે. તેથી સ્નાનાદિ સ્થાનોમાં જવાનું જલ્દી મન લલચાય છે. પણ સમતા આત્માનો સ્વભાવ છે, તે માટે મન લલચાતું નથી. સાતાની શોધમાં ને સાતાના ભોગવટામાં સમતાનું ખંડન થાય છે.
જગતના મોટા ભાગના જીવોને શરીર સૌદર્ય ગમે છે પણ આત્મ સૌદર્ય ગમતું નથી.
ગરમીમાં બાથમાં નહાવાથી શરીરનાં બધા અવયવોને પાણીની શીતળ કોમળ કાયાના સ્પર્શથી સાતા મળે, મેલ દૂર થવાથી શોભા સ્વચ્છતા થાય તેથી આનંદની વૃદ્ધિ થાય. તેમાં પણ ઉનાળાના ભયંકર તાપમાં માટલાનું કે બરફનું શીતળ જળ મળે તો અંદર બહાર ઠંડક થાય સુખાભાસ અનુભવાય. કાયા પર રાગ વધે અને પાણીના જીવોને પીડા વધે, તેમની સાથે વધારે રહેવાનું મન થાય અર્થાત્ તેમને પીડા આપવાનું અને આપણને શાતા મેળવવાના ભાવ
જીવવિચાર // ૭ર