________________
ગાથા ૫૧
એસો જીવ–વિચારો સંખેવ–ઈણ જાણણા હેઉ, સંબિત્તો ઉદ્ધરિઓ, રુદ્દાઓ સુય–સમુદ્દાઓ પા અલ્પમતિવાળા જીવોના. બોધ માટે હેતુથી, ગંભીર શાસ્ત્રરૂપી, મહાસાગર થકી સંક્ષેપથી; ઉપકારબુદ્ધે આ કીધો, ઉદ્ધાર જીવવિચારનો, જીવશાસ્ત્ર જે કહેવાય છે, તે ઉર ધરો હે ! ભવિજનો ! ૫૧ પૂ. શાંતિસૂરિ મહારાજ જણાવે છે કે સંક્ષેપથી જીવ વિચાર જાણવાની રુચિવાળા જિજ્ઞાસુ જીવો માટે મેં વિશાળ એવા શ્રુત સમુદ્રમાંથી આ સંક્ષેપ રૂપ જીવ વિચાર પ્રકરણનો ઉદ્ધાર કર્યો છે.
તમો પણ આ જીવ વિચાર પ્રકરણના સારને જીવનમાં ઉતારી તમારા આત્માનો ઉદ્ધાર કરી મળેલ દુર્લભ એવું માનવ ભવ સફળ કરો.
જીવવિચાર || ૨૮૪