________________
૧૦ અતિમુક્ત કે અખ઼વત.
પેાલાસપુર નગરમાં વિજય રાજાની શ્રીદેવી નામની રાણીથી તે જન્મ્યા હતા. બાળપણમાં જ્યારે તેએ ચોગાનમાં રમતા હતા, ત્યારે તેણે ગૌચરી અર્થે જતાં ગૌતમ સ્વામીને નિહાળ્યા. જૈન સાધુને જોઇ અતિમુક્ત આશ્રય પામ્યા અને તેમની નજીક પહોંચી જઈ પૂછવા લાગ્યાઃ———મહાનુભાવ! આપ કાણુ છે? અને શા માટે ક્રશ છે.? શ્રી ગૌતમ ખેલ્યાઃ—કુમાર ! અમે નિગ્રન્થ સાધુ છીએ અને ભિક્ષા અર્થે ફરીયે છીએ. આ સાંભળી અતિમુક્ત શ્રી ગૌતમની આંગળી પકડી કહેવા લાગ્યાઃ—ભગવાન, મારે ઘેર પધારો. બાળકની ભાવભીની ભક્તિ જોઇ શ્રી ગૌતમ તેની સાથે સાથે રાજ્ય મહેલમાં ગયા. ત્યાં શ્રીદેવીએ મુનિને નિર્દોષ આહાર પાણી વહેારાવ્યા. તે લઈ શ્રી ગૌતમ પાછા વળ્યા, ત્યારે કુમારે પૂછ્યું:—મહારાજ, આપ ક્યાં જાઓ છે? શ્રી ગૌતમે કહ્યું:—કુમાર, આ નગરની બહાર શ્રીવન નામના ખાગમાં મારા ગુરુ પ્રભુ મહાવીર બિરાજે છે ત્યાં. કુમારે કહ્યું:—હું આવું ? જવાબમાં શ્રી ગૌતમે કહ્યું:—જેવી તારી ઈચ્છા.
અતિમુક્ત ગૌતમ સ્વામી સાથે શ્રી મહાવીર પાસે આવ્યા, અને પ્રભુને વંદન કરી તેમની સામે બેઠે. પ્રભુએ તેને ધર્મોપદેશ આપ્યા. અંતિમુક્તના આંતર્ ચક્ષુ ખૂલ્યાં, તેને વૈરાગ્ય થયા, પ્રભુને કહ્યું કે હું સાધુ પ્રવાઁ લેવા ઇચ્છું છું, તા હું મારા માતાપિતાની રજા લઇ આપની પાસે આવીશ. પ્રભુએ કહ્યુંઃ—જેવી ઇચ્છો,
અતિમુક્ત ઘેર આવ્યા, પ્રભુના ઉપદેશની અને પેાતાને થયેલા વૈરાગ્યની વાત તેણે પેાતાના માતાપિતા સમક્ષ કહી.
માતાએ કહ્યું:—કુમાર, આ બચપણમાં તું ધર્મ અને પ્રવાઁમાં શું સમજે ?