________________ છે અહંદુ વત્સલ્ય ઉદ્ઘટાવતી T (ગ્રંથશ્રેણીના નામ અંગે કિંચિતુ) ભાર મા ન કર અત્યાર જ્યારે સૌથી પ્રથમ વાર શ્રી તીર્થકર નામકર્મની નિકાચનાના પરમ હેતુરૂપ શ્રી 20 સ્થાનકોનું વર્ણન મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના લોકપ્રકાશ ગ્રંથમાં વાંચ્યું, ત્યારે મારા આત્માને એ સ્થાનકો પ્રત્યે ન કહી શકાય તેવું અદ્ભુત આકર્ષણ જાગ્યું. શ્રી જિનશાસનનું રહસ્ય નવકાર, તેનું રહસ્ય પ્રથમ પરમેષ્ઠી દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા, શ્રી અરિહંતપદનું રહસ્ય ભગવંતના 12 ગુણ, તેનું રહસ્ય શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના વખતનાં 20 સ્થાનકોની મહાન ઉપાસનાથી ઓતપ્રોત આત્માના પરમશુભ પરિણામ અને તેનું પણ રહસ્ય : એ વિશે વીશ સ્થાનકોમાં પ્રથમ સ્થાનક અદ્ વાત્સલ્ય છે, એમ સમજાયું. આ પ્રથમ સ્થાનક એવું છે કે તે શ્રી તીર્થંકર ભગવંતની પ્રકૃતિ (સ્વભાવ) ગત છે. જેવું વાત્સલ્ય (સ્નેહ, પ્રેમ, ભક્તિ, અનુરાગ, આદર, બહુમાન વગેરે.) શ્રી તીર્થકરના જીવોમાં સર્વ અહંતો (તીર્થકરો) પ્રત્યે હોય છે, તેવું વાત્સલ્ય અન્ય જીવોમાં અહંતો પ્રત્યે કદાપિ હોતું નથી. એનું એક જ કારણ એ છે કે શ્રી તીર્થકર ભગવંતોના જીવોનું તેવા પ્રકારનું અનાદિકાલીન વિશિષ્ટ તથાભવ્યત્વ બીજા જીવો કરતાં તદ્દન જુદું હોય છે. જેમ મહાપુરુષ થનાર બાળકનાં લક્ષણો શિશુકાળથી જ જુદાં હોય છે, તેમ સંપૂર્ણ સંસારમાં ચરમભવી જીવોમાં પણ સર્વથી ઉત્તમોત્તમ થનાર શ્રી તીર્થકર ભગવંતની પ્રકૃતિ અનાદિ કાળથી જુદા જ પ્રકારની હોય છે અને એવું હોય તો જ તેઓ છેલ્લા ભવમાં પરમોત્તમ- પુરુષોત્તમ થઈ શકે. આ એક મહાન પ્રાકૃતિક નિયમ છે. પ્રથમ સ્થાનકનું નામ છે : અહંદૂ-વાત્સલ્ય. એમાંના બંને શબ્દો શાસ્ત્રીય-પારિભાષિક હોવાથી પૂર્વ નિર્ધારિત અર્થને સંપૂર્ણ રીતે ધ્વનિત કરનારા છે. અહિંનું એટલે પંચ મહાકલ્યાણકોને કારણે જેઓ જગતમાં સર્વોત્તમ છે, તે ભગવાન અરિહંત, અહંતુ નાં ચાર રૂપ છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ ચાર મહાન પવિત્ર રૂપો વડે ભગવાન 1. અહંદુ = અરિહંત પ્રત્યે વાત્સલ્યભક્તિ શ્રી જિનશાસનમાં ઉત્તમ પુરુષોને “શલાકા પુરુષ' કહેવામાં આવે છે. તેમાં પણ ચોવીશ તીર્થકરોને ‘ઉત્તમોત્તમ શલાકા પુરુષ' કહેવામાં આવે છે. 2. આ પદાર્થનું વધુ નિરૂપણ પુરુષવરત' ગ્રંથમાં છે. અરિહંતના અતિશયો