Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાવન ભેદ પામી શકે નહીં; એકાકીપણું ક્યારે યોગ્ય ઠરે ?; જિનાજ્ઞા વિનાનું ચારિત્ર નિષિદ્ધ. ઢાળ સાતમી (સળંગ ગાથા ૧૨૬થી ૧૩૭)
ગુરુનો લગીર દોષ જોઈ એમને ત્યજાય નહીં; બકુશ અને કુશીલ એ બે દ્વારા જ તીર્થ ચાલતું હોઈ સંપૂર્ણ નિર્દોષ અપ્રાપ્ય; છતાં ગીતાર્થને જ એકાકી વિહારની આજ્ઞા, અગીતાર્થને નહીં; એકાકીવાસનાં ગેરલાભો અને ભયસ્થાનો; સાધુઓની ગુણવૃદ્ધિ અને દોષવૃદ્ધિના ૨૬-૨૬ ભેદ.
ઢાળ આઠમી (સળંગ ગાથા ૧૩૮થી ૧૬૪)
કેવળ અહિંસા-દયામાં જિનાજ્ઞાનું પ્રવર્તન નથી; અહિંસાનો સાચો મર્મઃ સ્વઆત્મા હણાય તે હિંસા, સ્વઆત્મા ન હણાય તે અહિંસા; અહિંસાના ત્રણ પ્રકાર : હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ અહિંસા; હિંસાના પણ એવા જ ત્રણ ભેદ; જિનાજ્ઞા રૂપ શુભ ક્રિયા કરતાં થતી હિંસામાં દોષ લાગે નહીં; ઉત્સર્ગ અને અપવાદ બન્ને વિધિવાદ છે; ઉત્સર્ગની જેમ અપવાદની પણ આજ્ઞા છે; ભાવનિક્ષેપને માનનારે એના કારણરૂપ નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપને પણ માનવા જોઈએ; નયના પ્રકાર અનુસાર હિંસા-અહિંસા સાત પ્રકારે છે.
ઢાળ નવમી (સળંગ ગાથા ૧૬૫થી ૧૯૩)
કેવળ સૂત્રને જ માનનારા અને તે પરની ટીકા-વૃત્તિ આદિને નહીં માનનારા ભૂલા પડી આથડનારા અને તીર્થંકરની આશાતના કરનારા છે; આવાઓની આગમવિરોધી આચરણા; ગુરુ શિષ્યને સૂત્ર વિશે ત્રણ પ્રકારે વ્યાખ્યાન કરે. સૂત્ર સામાન્ય પ્રમાણ છે
Jain Education International
For Private & Personal Use Only
૮૯
૧૦૭
૧૨૫
www.jainelibrary.org