Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
કિરિયા લવ પણ જે જ્ઞાનીનો, દૃષ્ટિ થિરાદિક લાગે, તેથી સુજસ લહીજે સાહિબ, સીમંધર તુઝ રાગે.
બાળ તે માટે કિરિયા લવ પણિ ક0 ક્રિયાનો અંશ પણ જ્ઞાનીનો કર જ્ઞાનવંતનો તે ક્રિયાલવ કેહવો તે કહે છે. પણિ થિરાષ્ટિ જે પાંચમી દૃષ્ટિ તિહાં લાગતો હોય એતલે સમ્યક્ત્વ સહિત હોય. આદિ શબ્દથી કાંતા પ્રભા પરા એ પણિ દૃષ્ટિ લીજીઇ તેથી ક0 તે જ્ઞાન સહિત ક્રિયાના અંશથી હે સાહિબ, સુજસ લહીજે ક૦ ભલો જસ પામીઇ, ઉત્કૃષ્ટો જસ તે મોક્ષ તે પામીઇં. હે સીમંધર પરમાત્મા! તુઝ રાગે કવ તાહરે સ્નેહે કરીને.૩૧૫ [૧૫-૨૪]
સુ૦ જ્ઞાનવંતની ક્રિયાનો અંશમાત્ર પણ પાંચમી થિરાદૃષ્ટિને લાગતો હોય એટલે કે સમ્યક્ત્વ સહિતનો હોય. ‘થિરાદિક'માંના 'આદિ' શબ્દથી કાંતા-પ્રભા-પરા એ દૃષ્ટિ પણ લઈ શકાય. જ્ઞાનસહિતની ક્રિયાથી કે પરમાત્મા ! તારા સ્નેહે કરીને ઉત્કૃષ્ટ મોક્ષ પમાય.
ધન્ય૦ ૩૧૫ [૧૫-૨૪]
PHY
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૨૨૩
www.jainelibrary.org