Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ગયા હુતા, તે સર્વ દર્શનનો જય કર્યો. તિવારે પાતિસાદે કહ્યું કે “હીર તે ગુરુ, તુહો સવાઈ ગુરુ ઈતિ ભાવ. ૩૪૯ [૧૭-૯]
સુ0 શ્રી જગશ્ચંદ્રસૂરિએ તપા” બિરુદ ધરાવ્યું. આ મોટા તપાગચ્છના નંદનવનમાં કલ્પવૃક્ષ સમા શ્રી હીરવિજયસૂરિ જયવંતા વર્તા. બીજા આચાર્યોમાં તે રાજા સરીખા છે. તેમની પાટે વિજયસેનસૂરિ આચાર્યોમાં ઈશ્વર તુલ્ય થયા. જેમને પાદશાહ જહાંગીર નિરંતર નમે છે. તેમણે સર્વદર્શનનો પરાજય કર્યો ત્યારે પાદશાહે કહ્યું કે “હીરવિજય ગુરુ, તમે સવાયા ગુરુ.” તાસ પાટે વિજયદેવસૂરીસરુ, પાટિ તસ ગુરુ વિજયસિંહ ધોરી, જાસ હિતસીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિ ટલી કુમતિ ચોરી. આજેo ૩૫૦ [૧૭-૧૦]
બાળ તેહને પાટે શ્રી વિજયદેવસૂરિ થયા. પાટિ તસ ક0 તેહને પાટે વિજયસિંહસૂરિ થયા. ધોરી ક0 ગચ્છભાર વહેવાને વૃષભ સરીખા થયા, જે શ્રી વિજયસિંહસૂરિની હિતશિખા પામી એ માર્ગ ક0 સંવેગ માર્ગ આદર્યો. એટલે એ ભાવ, જે શ્રી યશોવિજય ઉપાધ્યાઈ પણ એહુની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યો, તથા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય અનેક હુંતાં તેમાં ૧૭ શિષ્ય “સરસ્વતી’ બિરુદધારી હતા. સહુ શિષ્યમા વડા શિષ્ય પં.શ્રી સત્યવિજય ગણિ હતા. તેહુ પણ શ્રીપૂજયની આજ્ઞા પામી ક્રિયાઉદ્ધાર કીધો, તે માટે ઇમ કહ્યું જે “માર્ગ એ અનુસર્યો'. એ સંવેગ માર્ગ આદર્યો. તથા તે સંવેગમાર્ગ આદર્યા થકી, સવી ટલી ક0 સર્વ ટલી ગઈ, કુમતિ ચોરી ક0 કદાગ્રહરૂપ ચોરી, તીર્થકર અદત્ત ગુરુ અદત્ત ઇત્યાદિક ચોરી ટલી. એ શ્રી આચાર્યની પરંપરા કહી. ૩૫૦ [૧૭-૧૦] | સુ0 વિજયસેનસૂરિની પાટે વિજયદેવસૂરિ થયા. તેમની પાટે વિજયસિંહસૂરિ. તેમની હિતશિક્ષા પામીને સંવેગ માર્ગ આદર્યો. એટલે ઉપાધ્યાય યશોવિજયજીએ પણ એમની આજ્ઞા પામીને ક્રિયા-ઉદ્ધાર કર્યો. વિજયસિંહસૂરિના અનેક શિષ્યો પૈકી ૧૭ શિષ્ય “સરસ્વતી’ બિરુદ ધારી હતા. સહુમાં વડા શિષ્ય પં.શ્રી સત્યવિજય ગણિ હતા. તેમણે પણ પૂજયશ્રીની ૨૫૨
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org