Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
વેગલો મત હુજે દેવ! મુઝ મન થકી, કમલનો વન થકી જિમ પરાગો; ચમક પાષાણ જિમ લોહને ખંચયે, મુક્તિને સહજ તુઝ ભક્તિરાગો. આજ0 ૩૪૨ [૧૭-૨)
બાહે દેવ ! મુઝ મન થકી ક0 માહરા મનથી વેગલો મત હુર્યો ક0 વેગલા મત થાજ્યો, એટલે ઘટમાં વાસ હોજયો, જિમ કમલના વનથી પરાગો ક0 વાસના, એતલે જિમ કમલની વાસના કમલના વનમાં રહે હિમ તુમ્હો હારા ચિત્તમાં રહેજો. ચમક પાષાણ ક0 ચમક જાતિનો કોઈ પત્થર વિશેષ જિમ લોહને ખંચસ્ય ક0 જિમ લોઢાને ખેંચે, એટલે પત્થરનો એહવો સહજ સ્વભાવ છે જે લોઢુ વેગલું હોય તોહિ પણ તિહાંથી ઇણિ મેલે આવીને પત્થરને લગે, તે રીતે તુઝ ભક્તિરાગો કી તુમ્હ ઉપરિ જે ભક્તિરાગ છે તે સહજ ક0 સ્વભાવે જ મુક્તિને ક0 મોક્ષને મંચસ્પે. એ પદ પાછિલું જોડિઇં. તુમ્હારી ભક્તિ તે મુક્તિને ખેંચસ્ય ઇતિ ભાવ. ૩૪૨ [૧૭-૨].
સુO હે દેવ ? મારા મનમાંથી વેગળા ન થજો. જેમ કમળની વાસ કમલવનમાં રહે તેમ તમે મારા ચિત્તમાં રહેશે. જેમ ચુંબક લોઢાને ખેંચે તેમ તમારો ભક્તિરાગ મોક્ષને ખેંચશે. તું વસે જો પ્રભો ! હરષભર હીડલે તો સકલ પાપનાં બંધ તૂટે, ઊગતે ગગન સૂરજ તણે મંડલે, દહ દિશે જિમ તિમિર પડેલ ફૂટે. આજ ૩૪૩ [૧૭-૩] - બા૦ હે પ્રભો ! જો તું હર્ષભર હિયડલે ક0 હર્ષભર્યું જે હિયું તેહને વિષે જો તું વસે છે તો સમસ્ત પાપનાં બંધન તૂટે ક0 જે ભવાંતરે પાપબંધ કર્યા કરે છે તે તૂટી જાઈ. તિહાં દૃષ્ટાંત કહે છે. ગગન ક0 આકાશને વિષે સૂરજ તણે મંડલે ક0 સૂરજના વિમાનનું મંડલે, તે ઉગતે ક0 ઊગ્યે થકે, દહ દિસે ક0 દસે દિશોને વિષે જિમ તિમિર પડલ ફૂટે ક0 જિમ અંધકારના પડલસમૂહ ફૂટે, તે નાશ પામે તદ્દત પાપડલ તૂટે. ૩૪૩ [૧૭–૩] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316