Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
[ઉપદેશપદગા.૭૮૨,ધર્મરત્નપ્ર. ગા.૮૦નીવૃત્તિ, ઉપદેશરહસ્યગા. ૧૪૦]
ઇત્યાદિક આગમવચન સંભારી દ્રવ્યક્ષેત્રકાલભાવપુરુષાદિક ઉચિત જોઈ સંજયને વૃદ્ધિકારી જ આચરે. તે બીજા સંવિગ્ન ગીતાર્થ પણ અંગીકાર કરે તે માર્ગ કહી. અને બીજા બહુલોકે આચર્યું તે તો અસંવિગ્ન અગીતાર્થ માટે અપ્રમાણ છે. વલી આચરણા પ્રમાણ કરતાં આગમ તો અત્યંત પ્રતિષ્ઠા પામે છે, જે માટે શ્રી ઠાણાંગસૂત્ર તથા ધર્મરત્ન પ્ર.ગા. ૮૦ની વૃત્તિમણે પાંચ પ્રકારના વ્યવહાર પ્રરૂપ્યા છે. યથા - __पंचविहे ववहारे, पन्नत्ते । तंजहा आगमववहारे १, सुयववहारे २, आणाववहारे ३, धारणाववहारे ४, जीयववहारे ५ ।
જીત અને આચરણા તે એક જ અર્થ છે, તે માટે આચરણા માનતાં આગમ અત્યંત માન્યું. તે માટે આગમ અવિરુદ્ધ આચરણા પ્રમાણ ઇત્યથિત ઈતિ. ગાથા ૨૭૬મીનો અર્થ કહ્યો છે. ૨૭૬. [૧૪-૪]
સુ0 પ્રથમ લક્ષણ માગનુસારિણી કિયા : માર્ગ તે સમયની સ્થિતિ; ઉત્સર્ગ-અપવાદરૂપ શુદ્ધ સંયમનો ઉપાય. તેમજ સંવિગ્ન બહુગીતાર્થની નીતિ-આચરણા એ બે માર્ગને અનુસરનારી આગમની જે ક્રિયા તે માગનુસારિણી કિયા. આવી ક્રિયાનું પાલન કરનારને કશાનો ભય ન હોય.
અહીં “સંવિન” પદ “અસંવિગ્નને ટાળવા મૂક્યું. ઘણા અસંવિગ્નોએ મળીને કરેલું આચરણ પણ પ્રમાણ નહીં. એ જ રીતે
બહુગીતાર્થ પદ એટલે મૂક્યું કે એક ગીતાર્થે કદાચિત અનવબોધથી વિપરીત આચરણ પણ કર્યું હોય.
“આગમ'ને “માર્ગ” કહેવું યુક્ત છે, પણ ઘણા લોકો આચરતા હોય એટલા ઉપરથી માર્ગ ન કહેવાય. કેમકે ઘણા લોકોએ તો લૌકિક માર્ગ જ આચર્યો હોય. આગમ જયેષ્ઠ છે. કેવલી પણ એને અપ્રમાણ ન કરે. સંવિગ્ન ગીતાર્થ આગમને અપેક્ષાએ જ આચરે. આ અપેક્ષા તે સંયમની વૃદ્ધિ
સ્થાનાંગ સૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર પ્રરૂધ્યા છે. આગમવ્યવહાર, ઋતવ્યવહાર, આશાવ્યવહાર, ધારણાવ્યવહાર અને જીતવ્યવહાર, ૧૯૬
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org