Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
અરહટની માલા તે ઉછી ન થાય એતલે શુદ્ધ પ્રરૂપક ગુણ વિના સંસાર ન ઘટે ઇતિ ભાવ. ૩૧૦ [૧૫-૧૯]
સુ॰ જે મુનિ પોતાની મોટાઇમાં રાચે છે, લોકોમાં આડંબર દેખાડે છે પણ શુદ્ધ પ્રરૂપકના ગુણ વિના તેની આ સંસારરૂપી ઘટમાળ ઓછી થતી નથી.
નિજ ગણ સંચે મનિ નવિ ખેંચે, ગ્રંથ ભણી જન પંચે,
હુંચે કેશ ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય૦ ૩૧૧ [૧૫-૨૦]
બાળ નિજ ગણ ક∞ પોતાનો જે ગચ્છ - સમુદાય, તેહને સંચે ક૦ ભેલા કરે જે આ માહરા શ્રાવક-શ્રાવિકા-સાધ-સાધવી ઇત્યાદિ મમત્વ કરે. મન નવિ ખેંચે ક૦ પોતાનું મન હીણી પ્રવૃત્તિથી ખેંચી રાખે જ નહીં. ગ્રંથ ભણી ૦ દ્રવ્યને અર્થે, જન પંચે ક0 લોકોને ઠગે, અથવા ગ્રન્થ ક૦ સિદ્ધાંતશાસ્ત્ર તે ભણી ક∞ અધ્યયન કરીને જન પંચે ક૦ લોકને ઠગે, ઉત્સૂત્રપ્રરૂપણા કરી લોકને દુર્ગતિ લેઇ જાય. ઇતિ ભાવ. લુંચે કેસ ક૦ મસ્તકે કેશનો લોચ કરે, ન મુંચે માયા ક0 માયા-કપટ મૂકે નહીં, તો તે પ્રાણીનાં વ્રત ન રહે. પંચે ક૦ મહાવ્રત ન રહે, એતલે પાંચેમાં એકે ન રહે ઇતિ ભાવ. ૩૧૧ [૧૫-૨૦
સુ૦ જે સાધુ પોતાનો ગચ્છ-સમુદાય ભેગો કરે, ‘આ મારાં શ્રાવકશ્રાવિકા-સાધુ-સાધ્વી’ એમ મમત્વ કરે, હીણી પ્રવૃત્તિઓમાંથી મનને ખેંચી ન લે, દ્રવ્યને અર્થે લોકને ઠંગે, શાસ્ત્રોનું અધ્યયન કરીને લોકોને ઠગે, ઉત્સૂત્રની પ્રરૂપણા કરીને લોકને દુર્ગતિમાં લઈ જાય, માથે કેશલોચ કરે પણ માયા-કપટ મૂકે નહીં તો તેમનાં પાંચ મહાવ્રતોમાંથી એકેય રહે નહીં.
યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણંતો ન પ્રકાશે,
ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ધન્ય૦ ૩૧૨ [૧૫-૨૧]
બાળ યોગ ગ્રંથના ક૦ પરમાર્થના શાસ્ત્ર જે થકી આત્મસ્વરૂપ સધાઇ એહવા જે ગ્રંથશાસ્ત્ર તેહના ભાવ ક0 રહસ્ય ન જાણે ક0 ઉલખે નહીં, સમઝે નહીં. જાણતો ક૦ કદાચિત્ જાણે તો પ્રકાશે નહીં. ભવ્ય જીવને તે ગ્રંથની વાતો કહે નહીં, જે માટે કહે તિવારે તિમ જ કરવું પડે. ઇતિ ભાવ. વલી
૨૨૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org