Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
મારવા દોડયો. તિવારે સ્ત્રીઇ બાલક મુકી દીધો. તિવારે તે બાલકે તે સાથે યુદ્ધ કરી મત્સ્યરૂપે થઈ માર્યો. તે મારીને તેના પેટમાંથી ચ્યારે વેદ લેઈને પાણીમાંથી શ્રી કૃષ્ણ આવ્યા. તે માટે પ્રથમ મલ્યાવતાર લીધો. એ અધિકાર દશાવતાર' ગ્રંથ મધ્ય કહ્યો છે. શૈવ શાસને દૃષ્ટાંત રૂપે જાણવા યોગ્ય છે. ઇતિ ભાવ . તથા અગીતાર્થ ન જાણે તે સવિ વિધિનો ભેદ ક૦ વિધિના પ્રકાર ઉત્સર્ગરૂપ અપવાદાદિકના પ્રકાર ન જાણે, તે માટે અગીતારથને એકવિહાર ન હોઇ. ઇતિ ભાવ:. ૧૩૪ [૭-૯].
સુo એ જ રીતે સમુદાય હોય પણ જો એમાં કાંઈ ગીતાર્થ ન હોય તો તે પણ આંધળા પ્રવાહમાં પડવા જેવું છે. કેમકે જિનાજ્ઞા વિનાનો સમુદાય કેવળ હાડકાંનો સમૂહ છે. માટે ગીતાર્થ જ ભવ્ય જીવને ભવસાગરમાંથી તારે છે; જેમ શ્રીકૃષ્ણ સમુદ્રમાંથી વેદને ઉગાર્યો.
[કથા માટે જુઓ આ ગાથાનો બાલાવબોધ]
વળી અગીતાર્થ ઉત્સર્ગ-અપવાદ આદિ સર્વ વિધિઓના ભેદ ન જાણતો હોઈ, એને માટે એકાકી વિહાર ન હોય. કારણથી એકાકીપણું પણિ ભાખ્યું તાસ, વિષમકાલમાં તોપણિ ર ભેલો વાસ; પંચકલ્ય ભાષ્ય ભથ્થુ આતમરક્ષા એમ, શાલિ એરંડ તણે ઈમ ભાગે લહીઈ એમ. ૧૩૫ [૭-૧૦],
બાળ વલી કોઈક કહેર્યો જે શ્રી ‘ઉત્તરાધ્યયન' [૩૨.૫] મધ્યે એકાકીપણાની હા કિમ કહી ? યથા –
‘વિ પવા વિવMયંત વિરેન શાકું સન્નમાળો' / ઇતિ વચનાત્. તેનો ઉત્તર જે કારણથી એકાકીપણું પણિ ભાખ્યું તાસ ક0 તે ગીતાર્થ હોય તેને કોઇક કારણે એકાકીપણું પણ કહ્યું છે. યથા તિહાં જ–
'न वा लभिज्जा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा ॥' ઇતિ વચનાત.
વિષમકાલમાં ક0 આ પંચમા આરાના હૂડા અવસર્પિણીમાં તોપણિ રૂડો ભેલો વાસ ક0 ભેગા વસવું તેહ જ રૂડું, પણ એકાકી વસવું તે રૂડું નહીં. ઇતિભાવ:. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org