Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ0 પહેલી હેતુ અહિંસા તે જીવની યતના કરવી. બીજી સ્વરૂપ અહિંસા તે જીવને હણવો નહીં. ત્રીજી અનુ બંધ અહિંસા તે સ્વપિવર્ગાદિક ફલ રૂપે જે પરિણમે છે. હેતુ-સ્વરૂપ અહિંસા આપે, શુભ ફલ વિણ અનુબંધ, દઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાનો અનુબંધ.મન,૧૪૬ [૮-૯]
બાળ હવઈ એ ત્રણ્યઈ અહિંસાનું ફલ કહે છે. હેતુ અહિંસા તથા સ્વરૂપ અહિંસા એ બે આપે. સું આપે તે કહે છે. શુભફલ ક0 પુણ્યફલ આપે, વિણ અનુબંધ ક0 અનુબંધ વિના, એતલે હેતુ તથા સ્વરૂપ અહિંસાથી પુણ્ય બંધાય, તે દેવતા પ્રમુખનો ભવ પામે, પણિ આગલ સંલગ્ન પુણ્યપરંપરા ન ચાલે. પાપાનુબંધી પુણ્ય બંધાય એ ભાવ. તથા જિમ અહિંસાના ૩ ભેદ, તિમ હિંસાના પણિ ૩ ભેદ – ઈમ જ છે. યથા હેતુ હિંસા ૧, સ્વરૂપ હિંસા ૨, અનુબંધ હિંસા ૩. એ ત્રણમાં હિંસાનો અનુબંધ ક0 ફલ તે હિંસાનું આપે. હેતુ કહઈ છછે જે દઢ અજ્ઞાન થકી ક0 આકર્ષે [] જ્ઞાન કરીને, એટલે એ ભાવ જે હેતુથી જોઇ તો અહિંસા, તથા સ્વરૂપથી જોઈએ તો અહિંસા, પણ અનુબંધઈ જોઈએ તો હિંસા છે. હિંસાથી પણ સંસાર વધે. અને અજ્ઞાન અહિંસાથી પણ સંસાર વધે. તે માટે જેહમાં અનુબંધ અહિંસા હોય તે આદરવી. ઇતિ ભાવ: ૧૪૬ [૮-૯].
સુ0 ત્રણ અહિંસાનાં ફલ: હેતુઅહિંસા અને સ્વરૂપ અહિંસા શુભફલપુણ્યફલ આપે, પણ અનુબંધ વિના. એટલેકે જીવ દેવતા આદિનો ભવ પામે, પણ આગળ પુણ્યપરંપરા ન ચાલે. પાપાનુબંધી પુણ્ય બંધાય.
જેમ અહિંસાના તેમ હિંસાના પણ ત્રણ ભેદ છે. ૧ હેતુહિંસા, ર સ્વરૂપ હિંસા, ૩ અનુબંધ હિંસા.
હેતુથી અને સ્વરૂપથી અહિંસા હોય છતાં તે દઢ અજ્ઞાનને લઈને અનુબંધથી હિંસા છે જે સંસારે જ વધારે છે, માટે અનુબંધ અહિંસાને આદરવી. નિcવ પ્રમુખ તણી જિમ કિરિયા, જેઠ અહિંસારૂપ, સુર દુરગતિ દઈ તે પાડે દુર ભવજલકૂપ. મન, ૧૪૭ [૮-૧૦]
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૧૧ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org