Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાળ મોહ તણું ક૦ મોહનું લિંગ છે. શિશુલીલા ક૦ બાલક્રીડા વલી કેહવી છે? અનર્થદંડ છે એ યંગ ક તે જીવને મનોહર લાગે છે.
યતઃ
‘નાસ્તિસનળીાવિ હૈં, નિંન મોહત્સ્વળત્થરડો' [ધર્મરત્ન પ્ર., ગા. ૪૧ ] ઇતિ વચનાત્.(૫)
હવે છઠ્ઠો ભેદ કહે છે. કઠિણ વચનનું જે બોલવું તે ધર્મી જીવને સમ્મત નહીં ક૦ માન્ય નહીં. યતઃ
‘રુસનયપ્રિયોગો, ન સંગો સુદ્ધધમ્મા ં” [ધર્મરત્ન પ્ર., ગા. ૪૧] ઇતિ વચનાત્ (૬) એ છ ભેદે કરી બીજો શીલવંત નામ ભેદ સંપૂર્ણ થયો. ૨૪૩[૧૨.૭]
સુ૦ બાલક્રીડા તે મોહનું ચિહ્ન છે. વળી આવી બાળકુચેષ્ટા અનર્થદંડના અતિચારવાળી છે. તથા કઠણ વચનો કહેવાં- આ બધું ધર્મી જીવને સંમત નથી.
ઉધમ કરે સદા સજ્ઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય, અનભિનિવેશી રુચિ જિનઆણ, ધરે પંચ ગુણ એહ પ્રમાણ. ૨૪૪ [૧૨-૮]
બાળ હવે ગુણવંતનામા ભાવશ્રાવકનું ત્રીજું લક્ષણ કહે છે. તેહમાં યદ્યપિ ગુણ તો અનેક પ્રકારના - ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય, પ્રિયંવદત્વાદિક છે. તોહી પણ પાંચ ગુણે કરી ગુણવંત, ઇહાં ગીતાર્થે વિવક્ષા છે. ઇતિ ભાવાર્થ, સજ્ઝાય ક૦ ભણવા પ્રમુખનો વાચના-પૃચ્છનાદિકનો ઉદ્યમ કરે (૧). કરણ ક૦ અનુષ્ઠાન ક્રિયા કરે (૨). વિનયમાં ક૦ ગુર્વાદિક આવે અભ્યુત્થાનાદિક કરે, સદા ઉજમાલ થકો સર્વ ઉપાય જે જે વિનયના ઉપાય ક૦ પ્રકાર છે તે સર્વ કરે (૩). અનભિનિવેશ ક૦ કદાગ્રહી ન હોય. ઇહલોક-પરલોક સાધવામાં કદાગ્રહ ન કરે (૪). રુચિ ક૦ આકરી શ્રદ્ધા, જિન-આણા ક0 જૈનાગમને વિશે (૫). એ પાંચ ગુણ ધરે તે ગુણવંત કહિð. પ્રમાણ ક૦ માન્ય છે. ૨૪૪.[૧૨.૮]
સુ૦ ત્રીજું લક્ષણ : ગુણવંત : આ લક્ષણમાં ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય, પ્રિયંવદત્વ આદિ અનેક ગુણોનો સમાવેશ થાય. પરંતુ વિશેષે નીચેના પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org