Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એહવા માર્ગ હોઇ. ભાખી ક0 એહવું કહીને ઇમ કિરિયા ક0 એ રીતની ક્રિયા કરે, એહ પદ બાહિરથી લાવીઇં. એતલે એ ભાવઃ. દેવવંદન, ગુરુવંદન પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણાદિ રૂપ ક્રિયા, જિનાગમ તથ્ય જાણીને આગમોક્ત ક્રિયા કરે. એ દેવવંદનાદિક ક્રિયાનો વિસ્તાર ધર્મરત્ન’માં જોઇ લેજ્યો. ૨૬૪ [૧૩-૧૧]
સુ૦ ૧૦. આગમ : જે કાર્ય કરે તે આગમને આગળ કરીને કરે. એમ વિચારીને કે પરલોક સાધવાનો માર્ગ આગમ જ દર્શાવે. તેથી આગમોક્ત સર્વ ક્રિયાઓ કરે. આ દશમો ગુણ.
આપ અબાધાઈ કરે, દાનાદિક ચ્યાર સકતી રે, વિકતિ રે, ઇમ આવે, ગુણ ઇગ્યારમો એ. ૨૬૫ [૧૩-૧૨]
બાળ હવે દાનાદિક યથાશક્તિ કરે એ ઇગ્યારમો ભેદ કહે છે. આપ અબાધાઇ ક∞પોતાને પીડા ન ઊપજેતિમ દાનાદિક ચ્યારે કરે. જો દ્રવ્ય, પાત્ર હોય તો દેતો થાકે જ નહીં. જો અલ્પ દ્રવ્ય તો અતિ ઉદાર ન થાય. ઉક્ત ચ
'लाभोचियदाणे लाभोचियभोयणे । लाभोचियपरिवारे, लाभोचियनिहिकरे સિયા / [પંસૂત્રે સૂ૦ ૨૩] તથા [ધર્મરત્ન પ્ર.ગા. ૭૦ ની વૃત્તિ]
ઇત્યાદિ ઇમ થોડે કાલે ઘણું આપી સકે. ઇમ શીલ-તપ-ભાવનાને વિષે પણિ યથાશક્તિ પ્રવર્તે. વિકતિ રે ક૦ પ્રગટપણે. ઇમ ઇગ્યારમો ગુણ શ્રાવકને આવે. ૨૬૫ [૧૩-૧૨]
સુ૦ ૧૧. દાનાદિક : પોતાને પીડા ન થાય તેમ યથાશક્તિ દાન આદિ કરે. સક્ષમ હોય તો દાન કરતાં થાકે જ નહી, અલ્પદ્રવ્ય હોય તો અતિ ઉદાર ન થાય. દાનની જેમ શીલ-તપ-ભાવનાને વિશે પણ યથાશક્તિ પ્રવર્તે. આ અગિયારમો ગુણ.
ચિંતામણિ સરિખો લહી, નવિ મુગધ હસ્યો પણિ લાજે રે, ગાજે રે, નિજ ધર્મો એ [ગુણ] બારમો એ.૨૬૬ [ ૧૩-૧૩]
બાળ હવે નિટ્રીકનામા બારમો ભેદ વખાણે છે. ચિંતામણિ રત્ન સરીખો પોતાનો ધર્મ લહી ક0 પામીને મુગ્ધ ક૦ મૂર્ખ લોક તિણે હસ્યો
૧૮૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org