Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બા, એહનો ઉત્તર દિઈ છે. નવિ જાણે તે ક0 તે અજ્ઞાની નથી જાણતો, નથી સમઝતો. સર્વ તજીને ક0 સર્વ પૂજા-પ્રભાવના-સાતમીવચ્છલ પ્રમુખ કરણિ તજીને એક અહિંસા રંગ ક0 એકલી અહિંસા રીઝ કરે, કેવલ ક0 નિકેવલ લૌકિક નીતિ ક0 વ્યવહાર નીતિ કરીને એતલે લૌકિક વ્યવહારમાં એક “દયા દયા' પોકારે તે સારી લાગે. પણિ હોર્વે ક0 હોય. લોકોત્તર પથ ભંગ ક0 લોકોત્તર માર્ગ જે જૈન માર્ગ તેહનો ભંગ થાય છે. એટલે એકલી દયામાં જિનશાસન નથી. જિનઆણામાં શાસન વર્તે છે. એકલી દયાઇ પડિકમણું પોસહ પ્રમુખ પણિ ન કરી સકે તો પૂજા-પ્રભાવનાની વાત તો વેગલી રહી. ઈતિ ભાવ:. ૧૩૯ [૮-૨]
સુ0 ઉત્તર જે અજ્ઞાની પૂજા, પ્રભાવના, સામિવાત્સલ્ય આદિ ત્યજીને કેવળ અહિંસામાં જ મન રાખે છે. અને લૌકિક વ્યવહારમાં ‘દયા દયા' પોકારે છે તે દેખીતું સારું લાગે, પણ લોકોત્તર માર્ગનો - જિનમાર્ગનો એમાં ભંગ થાય છે. એકલી દયામાં જિનાજ્ઞાનું પ્રવર્તન નથી. તો તો ઘણી કિયા - સુકૃતો બાજુએ રહી જાય. વનમાં વસતો બાલ તપસ્વી, ગુરુ નિશા વણ સાથ, એક અહિંસાઈ તે રાચે, ન લહે મર્મ અગાધ મન) ૧૪૦ [૮-૩
બા, એક તો બાલ તપસ્વી, અજ્ઞાન તપસ્વી. તે પણિ વનમાં વસતો. એતલે ઘોર કષ્ટનો કરણહાર. તથા બીજો. સાધુ પણિ ગુરુનિશ્રા વિણ ક0 ગુરુઆણા વિના. એ બહું. એક અહિંસાઈ તે રાચે ક0 એક અહિંસા મુખે કહે એતલે બાહ્ય જીવરક્ષા કરવી એટલામાં જ રીઝ છે. પણ તે અહિંસાનો અગાધ, જે ઊંડો મર્મ છે. તે મૂઢ ન લહે ક0 ન જાણે. એટલે સ્વઆત્મા હણાઇ હિંસા, સ્વઆત્મા ન હણાય તે અહિંસા - એહવા મર્મની તેહને ખબર નથી. ૧૪૦ [૮-૩]
સુo વનમાં વસતો ઘોર કષ્ટ કરતો બાળ-અજ્ઞાન તપસ્વી અને બીજો ગુનિશ્રા-ગુરુ આજ્ઞા વિનાનો સાધુ એ બન્ને એમ જ માને કે બાહ્યજીવની રક્ષા કરવામાં જ અહિંસા છે. પણ તે મૂઢ અહિંસાનો સાચો મર્મ સમજે નહીં કે સ્વઆત્મા હણાય તે હિંસા ને સ્વઆત્મા ન હણાય તે અહિંસા. ૧૦૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org