Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झप्पविसोहिजुत्तस्स ॥ १ ॥
- “ઉત્તરાધ્યયને.” [2] [પિંડનિર્યુક્તિ, ગા.૬૭૧; ઓઘનિર્યુક્તિ ગા. પપ૯].
એ રીતે પણ આહાર દૂષણ સહિત બાધા ન કરે. ઇતિ ધર્મરનવૃત.” ૯૦ [૫-૧૪].
સુ0 ગુરુકુલવાસે વસતાં વાચના-પૃચ્છના આદિથી જ્ઞાન-દર્શનચારિત્રના ગુણ દિનપ્રતિદિન વધે. આ ગુણવૃદ્ધિ થાય તો ગોચરી સંદર્ભે પણ કોઈ દૂષણ ન લાગે. જેમકે ગોચરીએ નીકળ્યા હોય ને ચિત્તમાં કોઈક ધ્યાનની લહર આવતાં વિચારે કે “ઘણાં ઘરે ફરવા રહીશ તો આ લહર પુનઃ નહી આવે” એમ વિચારી ક્યાંકથી સૂક્ષ્મદોષ સહિતનો પણ આહાર વહોરી લે તો કોઈ બાધ નથી, કર્મબંધનનું કારણ ન બને. ‘સૂયગડાંગ સૂત્ર', ‘ઉત્તરાધ્યયન સૂત્ર []અને “ધર્મરત્નવૃત્તિ માં આ વાત કહી છે.
ધર્મરતન’ ‘ઉપદેશપદાદિક, જાણી ગુરુ આદરવો રે ગચ્છ કહ્યો તેનો પરિવારો, તે પણ નિત અનુસરવો રે.
શ્રી જિન) ૯૧ [પ-૧૫] બા) તથા ધર્મરત્ન' ઉપદેશપદ' પ્રમુખ ગ્રંથ જોઇને જાણીને ગુરુ આદરવો. તે ગ્રંથોમાં ગુરુકુલવાસના અધિકાર ઘણા છે. વલી ગચ્છ કેહને કહિછે તે કહે છે. તેનો પરિવારો ક0 એહવા સુવિહિત સાધુનો પરિવાર તે ગચ્છ કહિછે. યતઃ ‘ગુરુ પરિવારો પાછો' ઇત્યાદિ “પંચવસ્તુ' [ગા ૬૯૬] વચનાતું. તે ગચ્છ પણિ નિરંતર અંગીકાર કરવો, અનુસરવો ઇતિ. યતઃ
'गुरुगुणजुत्तो गच्छो, संविग्गसाहुसमवाओ । मुक्खमगस्थिणा सो य अणुसरियव्वो पयत्तेण ॥ १ ॥'
ઈત્યાદિ. ૯૧ [પ.૧૫] સુO “ધર્મરત્ન’ અને ‘ઉપદેશપદ' આદિ ગ્રંથોમાં ગુરુકુલવાસના અધિકારો ઘણા છે. તે જોઈને ગુરુને આદરવા. સુવિહિત સાધુનો પરિવાર તે ગચ્છ. તે ગચ્છ પણ નિરંતર અંગીકાર કરવો.
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org