Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'अबहुस्सुओ तवस्सी, विहरिउकामो अजाणिऊण पहं । अवराह पयसयाई, काऊण वि जो न याणेइ. ॥१॥ देसिअराइयसोहिं, वयाइयारे उ जो न याणेइ । अविसुद्धस्स न वड्डइ गुणसेढी तत्तिया ठाइ. ॥२॥' ઇતિ ઉપદેશમાલાયાં (ગા.૪૧૨, ૪૧૩]. ૧૦૯ [૬-૧૦]
સુ0 તપસ્યા ને વિહાર કરવા છતાં આવો અગીતાર્થ સાધુ પોતાના દોષ ન જાણતો હોવાને કારણે એની ગુણશ્રેણિની વૃદ્ધિ કેવી રીતે થાય ? માર્ગ માત્ર જાણે જિમ પંથી, અલહી તાસ વિશેસ રે લિંગાચાર માત્ર તે જાણે, પામે મૂઢ કિલેસ રે. સાવ ૧૧૦ [૬-૧૧] - બાળ માર્ગમાત્ર જાણે જિમ પંથી ક0 કોઈક પંથી હોય તેને કોઇક ડાહ્યો પુરુષ માર્ગ બતાવે તોહિ પણ વિશેષ માર્ગની ખબર ન પડે. પોતે ડાહ્યો નથી માટે ડાવો-જિમણો માર્ગ જિમ ન જાણે, એક સામાન્ય પ્રકારે માર્ગ માત્ર જાણે અને તાસ તે માર્ગનો વિસેસ જે ડાવો-જિમણો તે અલહી ક0 અણજાણે કલેશ પામે, તિમ લિંગ ક0 સાધુવેષ, આચાર ક0 સાધુની ક્રિયા તે લિંગાચાર માત્ર જાણે. એટલે એક સૂત્રના અક્ષર માત્રે કરી ક્રિયાદિક કરતો પણિ પરમાર્થ અણજાણતો ઇતિભાવઃ પામે મૂઢ કિલેસ ક0 તે મૂઢ-મૂર્ણ અગીતાર્થ કિલેસ પામે, સંસાર વધારે. યતઃ
'जह दाइयंमिवि पहे, तस्स विसेसे पहस्सऽयाणंतो । पहिओ किलिस्सइ च्चिय, तह लिंगायारसुअमित्तो ॥१॥
ઇતિ ઉપદેશમાલાયાં [ગા.૪૧૬]. ૧૧૦ [૬-૧૧] સુ0 જેમ કોઈ ડાહ્યો પુરુષ પથિકને રસ્તો બતાવે પણ પંથી પોતે દક્ષ નહીં હોવાને લીધે એને કાંઈ વિશેષ ખબર ન પડે, માર્ગની ડાબીજમણી બાજુનો ખ્યાલ ન આવે ને છેવટે દુઃખી થાય તે જ રીતે કેવળ લિંગધારી સાધુ માત્ર સાધુનાં વેશ-આચાર-કિયા જ જાણે છે પણ સાચો પરમાર્થ માર્ગ નહીં જાણવાને લીધે દુઃખી થાય છે, સંસાર જ વધારે છે. ભેદ કહ્યા વિણ નાનાપરિણતિ, મુનિમનની ગત બોધ રે, ખિણ રાતા ખિણ તાતા થાતા, અંતિ ઉપાઈ વિરોધ રે.
સા૧૧૧ [૬-૧૨] પં. પ૨વિજયજીકૃત બાલાવબોધ
૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org