Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુo ગીતાર્થ તે જિનશાસનના લોચનરૂપ છે, દુર્ગતિમાં પડતા જીવોના આધાર છે, બળા વચ્ચેના સ્થંભ સમા છે, સંસારરૂપી મહાઇટવીનો બીહામણો માર્ગ પાર પમાડનાર વાહન છે. એ ગીતાર્થ વિના મુનિ સંયમશ્રેણી કેવી રીતે ચડી શકે ? ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે, પાલેકિરિયા તે તુઝ ભગતિ, પામે જગિ જસવાદો રે.
શ્રી જિન૦૯ [પ-૨૩] બાતે ગીતા રથને મારગ પૂછીનેં ઉન્માદ જે સ્વેચ્છાચારીનું મદોન્મત્તપણે છાંડી. એ રીતિ તુમ્હારી ભગતિ કરી. એતલે તુમ્હારી આણા તે તમારી ભક્તિ. તે ભક્તિ કરીને જે ક્રિયા પાલે એટલે એ ભાવ જે તુમ્હારી એ આજ્ઞા છે જે જ્ઞાન સહિત ક્રિયા પાલઈ તે પ્રાણી જગિ ક0 જગતને વિષે જસવાદ પામોં. ૯૯ [પ-૨૩
સુ૦ આવા ગીતાર્થને માર્ગ પૂછીને સ્વેચ્છાચારનું મદોન્મત્તપણું ત્યજવું. તમારી ભક્તિ કરીને, તમારી આજ્ઞાનુસાર કિયાપાલન કરીને જ જીવ જસવાદ પામી શકે,
(એ ઢાલમાં ૨૨૪ શ્લોક અક્ષર ૧૮, ઉક્ત ગાથા ૨૩.)
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org