Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
આલંબન ક્રૂડાં દેખાડી, મુગધ લોકને પાડે આણા ભંગ તિલક તે કાલું થાપે આપ નિલા રે. જિd ૩ [૧-૩]
બાળ હવે તે વિપરીત ચાલતાં કોઇક કર્યો જે આમ કાં ચાલો છો? તિહાં એડવો પાછો જબાપ કહે. કૂડાં કઈ ખોટાં આલંબન દેખાડી “આજ પંચમકાલે સંઘયણ-વૃતિ પ્રમુખ પૂર્વપુરુષ જેહવા કિહાં છે?' ઇમ કહીને મુગધ જે મૂર્ખ લોક તેહને પાડે ક0 અજ્ઞાનમાર્ગે પાડે છે. તે પુરુષ આણા જે જિનાજ્ઞા, તેહનો જે ભંગ તદ્રુપ જે કાલું તિલક તે પોતાને કપાલે થાપે છે. એટલે જિનાજ્ઞા લોપે છે. તિવારે કોઈક બોલ્યો જે આજ્ઞાભંગ દૂષણ દીધું તે ખરું પણિ સર્વથા વિધે તો કોઈ કરી ન સકે તે કહે છે. ૩ [૧-૩]
સુ0 સૂત્ર-વિપરીત ચાલનારને કોઈ ટકોરે તો તે ખોટાં આલંબનો દર્શાવીને મૂર્ખ લોકોને અજ્ઞાન માર્ગે વાળે છે. આવા પુરુષો જિનાજ્ઞાભંગ કરીને કપાળે કાળી ટીલી ચોડે છે - સ્વને કલંકિત કરે છે. વિધિ જોતાં કલિયુગમાં હોવે તીરથનો ઉચ્છદ, જિમ ચાલે તિમ ચલવે જઈઈ એક ધરે અતિભેદ રે. જિ0 ૪ [૧-૪]
બાળ વિધિ જોતાં તો કલિયુગ ક0 પંચમો આરો. અન્ય તીર્થી એને કલિયુગ કહે છે. જૈન પાંચમો આરો કહે છે. તે કલિયુગમાં તીરથનો ઉચ્છેદ થાય જે માટે અવિધિની ના કહો છો અને વિધિ તો થાય નહીં તિવારે તીરથ વિચ્છેદ જ જાય. તે માટે જિમ ચાલેં તિમ ચલવ્યા જઈ એતલે ઝાઝી ચાપાચીપ કરીઇ નહીં. નરમગરમ ચલાવી છે. કોઈક પોતાની મતિનો ભેદ ઈમ જ ધરી રહ્યા છે. ૪ [૧-૪].
સુ0 તેઓ કહેશે કે “આ કળિયુગ (જૈન મતે પંચમ આરા)માં વિધિમાર્ગ (આજ્ઞાપાલન) જળવાતો નથી ને અવિધિમાર્ગ (આજ્ઞાલોપ)ની ના કહોઆમ તીર્થનો ઉચ્છેદ જ થાય, માટે ચાલે છે તેમ જ ચાલવા દો.” ઈમ ભાખી તે મારગ લોપે, સૂત્રક્રિયા સવિ પીસી, આચરણા સુધી આચરીઈ જોઈ યોગની વીસી રે. જિઓ ૫[૧-૫] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org