Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
નાવા સરીખા છે. શ્રુતજલધિ ક0 શ્રુતસમુદ્રમાં પ્રવેશે ક0 પેસવાને, એટલે સમુદ્રમાં તો પેસાય જો નાવ હોય. તિમ સિદ્ધાંતસમુદ્રમાં તો પેસાય જો એ ગ્રંથપ્રકરણ રૂપીઆ નાવડાં હોય. ઇતિ ભાવઃ ૬૮ [૪-૧૧].
સુO વળી કેટલાક અણસમજુઓ એમ કહે છે કે “ સ્તવન સઝાય આદિ નવી નવી રચનાઓ કરવાનું શું કામ છે ?' આ ખોટું છે. સિદ્ધાંતશાસ્ત્રોનો આધાર લઈને જે ગ્રંથો કર્યા છે તે તો નાવ સરીખા છે જે દ્વારા શ્રુતસમુદ્રમાં પ્રવેશી શકાય છે. પૂર્વસૂરીઈ કીધી, તેણે જો નવી કરવી સિદ્ધિ, તો સર્વે કીધો ધર્મ નવિ કરવો જોયો મર્મ ૯૯ [૪-૧૨]
બાપૂર્વાચાર્યે જોડિ કીધી ક0 કરી છઈ, તેહ જ ભણો તે માટે જો નવિ કરવી સિદ્ધી ક0 નવી જોડિ ન કરવી ઍમ વાત સિદ્ધ થઇ, ઇમ કર્યું . જો કહેસ્યો તો સર્વે ક0 પૂર્વે થયા તિણે ઉત્તમ જીવોઇ સર્વે ધર્મ કર્યા છે તે માટે તુહે વલી ધર્મ સ્યુ કરવા કરો છો ? ન કરવો. પૂર્વે જોડી કરી છે માટે નવી ન કરવી તો પૂર્વે ધર્મ ઘણાઇ જીર્વે કર્યો છે, આપણને ન કરવો એ મર્મ ક0 એ ભાવ. ૬૯ [૪-૧૨]
સુ0 આના પ્રતિવાદમાં તેઓ કહેશે કે “પૂર્વે સૂરિઓએ રચેલા ગ્રંથો જ ભણોને ! નવી રચનાઓની શી જરૂર છે ? જો આમ જ કહેશો તો પછી પૂર્વે થયેલા ઉત્તમ જીવોએ ખૂબ ધર્મ કર્યો છે તો તમે ધર્મ પણ શું કરવા કરો છો ? ન કરવો ? પૂરવ બુદ્ધને બહુમાને નિજ શકતિ મારગ જ્ઞાને, ગુરુકુલવાસીને જોડી, યુગતિ એહમાં નહીં ખોડી. ૭૦ [૪-૧૩]
બા) હવે કહે છે જે આવો થઇને જોડે તો કાંય દોષ નથી. પૂરવ બુદ્ધને બહુમાને ક0 પૂર્વે પંડિત ગીતાર્થ થયા તેહના બહુમાન કરે, જે ‘પૂર્વાચાર્યને આગલિ હું તે સ્યા હિસાબમાં છું!” પણિ તેહનું વચન ખેડે નહી, તથા પોતાની શક્તિ પ્રમાણે એતલે શક્તિથી અધિક જો[યોજના ન કરે. તે કરે તો કોઈક ઠેકાણે ખોટું આવી જાય તે માટે શક્તિ પ્રમાણે જોઇ. તથા મારગજ્ઞાને ક0 જૈન માર્ગનું જ્ઞાન ચોખું હોય તો જોડે, તથા
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org