Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાલાવબોધનો સુગમાર્થ: હે સીમંધરસ્વામી ! આપને એક જ વિનંતી કરીએ છીએ કે અમે શુદ્ધ માર્ગને ઓળખીએ. રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગ તે શુદ્ધ માર્ગ છે. જયારે વિપરીત દર્શનોને સાચાં માનવાં તે અશુદ્ધ માર્ગ છે. સ્યાદ્વાદ શૈલીએ ઓળખેલા શુદ્ધ માર્ગને સેવીને અનેક ભવ્ય જીવો સ્વસંપદાને પામ્યા છે. અમારી વિનંતીને આપ લક્ષમાં લો. ચાલે સૂત્ર વિરુદ્ધાચારે ભાખે સૂત્ર વિરુદ્ધ, એક કહે અહે મારગ રાખું, તે કિમ માનું શુદ્ધ રે? જિન) ૨ [૧-૨] - બાળ કેઈક પ્રાણી સૂત્રથી વિરુદ્ધ આચારે ચાલે છે. તથા ભાખે ક0 પ્રરૂપે, તે પણિ સૂત્ર વિરુદ્ધ, અને વલી લોકને કહેયે જે “અખ્ત માર્ગ રાખું છું. અચ્છું છું તો માર્ગ ચાલે છે તો તે વાત અખ્ત શુદ્ધ કિમ કરી માનીઇ ? ઇહાં સૂત્ર તે મ્યું જે લિખીશું છઇં. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદ, ૪ મૂલસૂત્ર, નંદી ૧, અનુયોગદ્વાર ૧ એવું ૪૫. યતઃ
इक्कारस तह बारस अंगु ११, वंगाणि १२, दस पइन्नाणि १० । छ च्छेया ६, चउ चूला ४, नंदी अणुओग पणयाला ॥ १ ॥
તથા વલી ભાષ્ય ૧, ચૂર્ણિ ૨, નિર્યુક્તિ ૩, વૃત્તિ ૪ તથા સૂત્ર એ પંચાંગી એહને સમ્મત પૂર્વાચાર્યપ્રણીત ધર્મરત્નાદીક પ્રકરણ તથા જે નંદીસૂત્ર'ગત જે પયગ્રા ઇત્યાદિ તથા હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિ વાચક, પ્રમુખકૃત ગ્રંથાદિક તે સર્વ સૂત્ર માંહી જ આવૈ, જે કારણે દુર્ભિક્ષ-પતનકાલે સૂત્ર વિસર્યા તેહમાં સાંભર્યા તે સૂત્ર લિખ્યાં, બીજાં સૂત્ર વિસર્યા અને અર્થ સાંભર્યા તેહના પ્રકરણ પ્રમુખ બાંધ્યા ઈતિ. સૂત્રાનુયાયી માટે સૂત્ર જ કહિછે. તેથી વિરુદ્ધ કરતાં, વિરુદ્ધ બોલતાં શુદ્ધ કેમ માનું ? ૨ [૧-૨].
સુo કોઈ જીવ સૂત્રથી વિરુદ્ધ આચાર કરવા છતાં એમ કહે કે હું માર્ગની રક્ષા કરું છું, હું છું તો માર્ગ ચાલે છે. તો તે વાત કેમ મનાય ?
૪૫ આગમો, ભાષ્ય-ચૂર્ણિ-નિયુક્તિ-વૃત્તિ-સૂત્ર એ પંચાંગી તથા હરિભદ્રસૂરિ જેવા ગીતાર્થોએ રચેલા ગ્રંથો વગેરેનો આ સૂત્રમાં સમાવેશ થાય. દુષ્કાળના સમયમાં વીસરાયા પછી યાદ રહેલાં સૂત્રો અને અર્થોના પ્રકરણાદિ ગ્રંથો પણ સૂત્રોનુયાયી હોઈને સૂત્ર જ ગણાય.
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org