Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
છે. ગુરુ ઉત્તર કહે છે જે તે મિથ્યા ક૦ ખોટું, જે માટે ગુણ વિના એકલે કેવલ લિંગે ન તરાઇં, તે ઉપર દૃષ્ટાંત કહે છે.
ભુજા વિના જિમ તારૂ કO તરનારો નદી પ્રમુખ ન તરી સકે. યદુક્ત ‘વંદનાવશ્યકે’ [ગા-૧૧૩૬-૩૭] શિષ્યવચનં -
सुविहिय दुविहियं वा, नाहं जाणामि हं खु छउमत्थो । लिंगं तु पूययामि, तिगरणसुद्धेण भावेण ॥ १ ॥ પ્રત્યુત્તરમાહ
जइ ते लिंगपमाणं वंदाही निन्हवे तु सव्वे |
एए अवंदमाणस्स लिंगमवि अप्पमाणं ते ॥ २ ॥ જ્ઞાતિ । ૧૮ [૧-૧૮]
સુ૦ કોઇ કહેશે કે અમે દ્રવ્યલિંગથી એટલે કે ઓધો-મુહપત્તીથી તરી જઇશું, તેને પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે કે ‘આ ખોટું છે. ગુણ વિના કેવળ લિંગ (સાધુવેશ કે ઉપકરણ આદિ)થી ન તરાય, જેમ હાથ વિના તરવૈયો નદી ન તરી શકે.’
કૂટલિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ, નિબંધસ જાણીને નમતાં, તિમ જ કહ્યો તસ પોષ રે.
બા૦ જિમ પ્રગટપણે જાણિને વિડંબક જે નાટકીઆ પ્રમુખનું જે કૂટ લિંગ ક૦ ખોટો વેસ, તેહનેં નમતાં દોષ. એતલે એ અર્થ જે નાટકીઓ સાધુવેષ લાવ્યો તે જાણીઇં છીઇં જે ખોટો વેસ છે. ઇમ જાણીનેં નમતાં દોષ લાગે. લોક હાંસી પ્રમુખ પણ કરે. તિમ નિભ્રંધસ જાણીને નમતાં ક૦ નિહંધસ જે પ્રવચનોપઘાત નિરપેક્ષક પાસસ્થાદિક કેવલલિંગી જાણીને નમે તો તિમ જ કહ્યો તસ પોષ ક૦ દોષનો પોસ કહ્યો છે. ‘આવશ્યક’માં. યદુનં
जह वेलंबगलिंगं, जाणंतस्स नमउ हवइ दोसो । निर्द्धधसुत्ति नाऊण, वंदमाणे धुवो दोसो ॥ १ ॥ ઇતિ ‘વંદનાવશ્યકે.’ [ગા.૧૧૫૧] ૧૯ [૧-૧૯]
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
જિન૦ ૧૯ [૧-૧૯]
Jain Education International
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org