Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ ચોથી (પ્રભુ પાસનું મુખડું જોવા – એ દેશી) બા, ત્રીજી ઢાલમાં ઈમ કહ્યું જે હણા આલંબણ લેઈનઇ પોતે હોણાચારી થાય. તે હણાચારી હોય તે શુદ્ધાચારીના છિદ્ર કાઢે. તે વાત ચોથા ઢાલમાં કહિઈ છે. સુણયો સીમંધર સ્વામી, વલી એક કહું શિર નામી, મારગ કરતાને પ્રેરે દુર્જન જે દૂષણ હરે ૫૮ [૪-૧]
બાહે શ્રી સીમંધર સાહિબ, સુણયો ક૦ અવધારયો. વલી ક0 પૂર્વે કહી તેથી બીજી વાત એક કહું છું. શિર નામી ક0 મસ્તકે નમીને, નમસ્કાર કરીને જે શુદ્ધ મારગના કરતા ક0 પાલતા અહેવાને પ્રેરે ક0 ઉદરે. કોણ પ્રેરે તે કહે છે. દુર્જન ક0 ખલ છે, છિદ્રાન્વેષી છે તે કહે છે. જે દૂષણ હેરે ક0 પારકા અછતાં દૂષણ જુઇ. ૫૮ [૪-૧]
સુ) હે સીમંધર સાહિબ! તમને નમસ્કાર કરીને, વળી એક બીજી વાત કહું. આવા જે છિદ્રાન્વેષીઓ છે તે શુદ્ધાચારીઓનાં દૂષણો જુએ. કહે નિજ સાખેં વ્રત પાલો, પણિ ધર્મશિના ટાલો, જન મેલ્યાનું સું કામ, બહુ બોલ્યુ નિંદા ઠામ. ૧૯ [૪-૨]
બાવે તે ઇમ કહે છે જે નિજ સાખે ક0 પોતાની સાખેં વ્રત પાલો અને ધર્મ કરો. પણિ લોક ભેલા કરીને ધર્મદેશના ટાલો. દેશના દેવાનું સું કામ છે ? ઈમ કરીને લોક ભેલા કર્યાનું હું કામ છે ! પણ ઘણું બોલતાં કોઈક અવસરે નિંદાનું સ્થાનક પણ થાય. ૫૯ [૪-૨]. ૪૨
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org