Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
(आचा०) कामं उभया भावो, तहवि फलं अत्थि मणविसुद्धीए । तीइ पुण मणविसुद्धीइ, कारणं हुति पडिमाओ ॥ ३ ॥ जइवि य पडिमाओ गुणा, मुणिगुणसंकप्पकारणं लिंगं । उभयमवि अत्थि लिंगे, न य पडिमासूभयं अत्थि ॥ ४ ॥ नियमा जिणेसु अ गुणा, पडिमाओ दिस्स जे मणे कुणइ । अगुणे उ वियाणंतो कं नमउ मणे गुणं काउं ? ॥ ५ ॥ -ઇત્યાદિ. વલી એહનો વિચાર ‘બૃહત્કૃત્તિ’થી વિચારયો.૨૧ [૧-૨૧] સુ૦ આના જવાબમાં ગુરુજી ભદ્રબાહુસ્વામીએ ‘આવશ્યક નિર્યુક્તિ'માં કહેલી વાતનો આધાર લઇને જણાવે છે કે જિનપ્રતિમામાં ગુણ પણ નથી, તેમ દોષ પણ નથી. એટલે પોતાની અધ્યવસાય-શુદ્ધિએ નમતાં લાભ જ થાય. આ શુદ્ધ પરિણામનો હેતુ જિનપ્રતિમા છે.
સાધુવેશની સરખામણી જિનપ્રતિમા સાથે ન થાય. કેમકે જિનપ્રતિમા દોષક્રિયા નથી કરતી અને અદોષ-ક્રિયા પણ નથી કરતી. તે સર્વત્ર એક જ સ્વરૂપે છે. જ્યારે સાધુ તો કોઈ સ્થાને શુદ્ધ ચારિત્રપાલન કરે છે ને કોઈ સ્થાને દોષકર્મ પણ કરે છે. એટલે જિનપ્રતિમામાં જિનગુણનું આરોપણ કરી પ્રણામ કરતાં મહાનિર્જરા થાય, પણ શિથિલાચારી સાધુને વિષે ગુણનું આરોપણ ન થાય. એમ કરવા જતાં થતો વિપર્યાસ કર્મબંધનું કારણ બને.
કોઈ કહે જિન આગે માગી, મુક્તિમારગ અમ્હેં હિસ્યું, નિર્ગુણને પણિ સાહિબ તારે, તસ ભગતિ ગહગહસ્યું રે.
બાળ કોઇક ઇંમ જ કહે છે જે જિનેશ્વર આગલિ મુક્તિમારગ અમ્હે માગી લેસ્યું. નિર્ગુણનેં પણિ સાહિબ તારમેં. તથા તેહુની ભક્તિમાં ગૃહગહસ્યું ક૦ હર્ષ પામીસ્યું' એ અક્ષરાર્થઃ. એતલે એ ભાવ જે કેઇક ઇમ કહે છે જે ‘આ ભવમાં તો શક્તિ નથી પણિ જન્માતરે બોધિબીજની સામગ્રી પામીસ્યું તિવારે કરીસ્સું એહવું પ્રભુ પાસે માગી લીજીě છીઈં.’ ઇતિ ભાવઃ.૨૨ [૧-૨૨]
૧૪
Jain Education International
જિ ૨૨[૧-૨૨]
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org