Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ ત્રીજી
બાળ હવે ત્રીજી ઢાલ કહે છે. એહને બીજા ઢાલ સાથે એ સંબંધ છે. બીજા ઢાલમાં કહ્યું જે પાપ ન કરવું તે પડિકમણાં. માટે ત્રીજી ઢાલમાં કહે છે જે પાપ કિમ ન થાય ? જિવા૨ે દુષ્ટ હીણાં આલંબન જોઇઈં તિવારે પાપ થાય. તે હીણાં આલંબન ન જોઇઇ તો પાપ ન થાય તે કહે છે. (તુંગીઆ ગિરિશિખર સોહે – એ દેશી)
દેવ તુઝ સિદ્ધાંત મીઠો, એક મનેિં ધરી,
દુષ્ટ આલંબન નિહાલી, કહો કિમ તરિ દેવ તુ૦ ૪૩ [૩-૧]
બાળ હે દેવ ! હે પરમાણંદવિલાસી ! તુઝ સિદ્ધાંત કળ તાહરું સિદ્ધાંત, જે આગમ તે મીઠો છે. સ્યાદ્વાદશૈલી અત્યંત મીઠી લાગે છે. ઇતિ ભાવઃ. એકમિનેં ધરીઈ ક0 એકાગ્ર ચિત્તે કરી ધરી રાખીઇ. દુષ્ટ જે આલંબન તે જોઈને એતલે કોઈકે કોઈ કારણે અંગીકાર કર્યું હોય તે પોતે ધારી રાખે. તે ધારીનેં કહો કિમ તરીઇ ક૦ હે સજ્જન પુરુષો ! તુમ્હેં કહો કિમ સંસાર સમુદ્ર તરીઇ ? ૪૩ [૩-૧]
સુ હે દેવ! હે પરમાનંદ ! તારું સ્યાદ્વાદશૈલીરૂપ આગમ મને મીઠું લાગે છે. હીન આલંબનો ધારી રાખીએ તો પછી હે સજ્જનો ! સંસારસમુદ્રમાં કેમ તરાય ?
દુષ્ટ આલંબન ધરે જે, ભગ્નપરિણામી,
તેહ ‘આવશ્યકે' ભાખ્યા, ત્યજે મુનિ નામી. દેવ૦ ૪૪ [૩-૨]
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org