________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ
નિષ્પકંપતા મહાદેવી અને શરીરના સૌંદર્યથી ગ્રહણ કરી છે જયપતાકા એવી, કલાકલાપના કૌશલ વડે ભુવનત્રયને જીતનારી, તિરસ્કાર કર્યો છે રતિનો વિભ્રમ જેણે એવી, પોતાના પતિની ભક્તિપણાને કારણે અવગણા કરી છે અરુંધતીના માહાભ્યના અતિશય જેણે એવી નિષ્પકમ્પતા નામની તે શુભ પરિણામ રાજાની મહાદેવી છે –
જેમ કોઈ સ્ત્રી અનેક કળામાં કુશળ હોય સુંદર શરીરવાળી હોય, તેમ નિષ્પકંપતા નામની જીવની પરિણતિ અંતરંગ ગુણો પ્રગટ કરવા માટેની અનેક કળાઓમાં કુશળ છે. અને નિષ્પકંપતા એ જીવની અંતરંગ સુંદર પરિણતિ છે, માટે તેના શરીરનું સૌંદર્ય પણ શ્રેષ્ઠ છે. વળી, કામને રતિ અત્યંત પ્રિય હોય તેના કરતાં પણ અધિક પ્રીતિ શુભ પરિણામને નિષ્પકંપતા સાથે છે. વળી અરુંધતી નામની સ્ત્રી પતિભક્તા હતી તેનાથી પણ અધિક શુભ પરિણામ પ્રત્યે નિષ્પકંપતા દેવીને ભક્તિ છે. તેથી નિષ્પકંપતાની પરિણતિ શુભપરિણામ સાથે સદા સંશ્લેષવાળી વર્તે છે. તે મહાદેવી કેવી છે ? તે બતાવે છે – શ્લોક :
एकत्र सर्वयत्नेन, कृतालङ्कारचर्चनम् । सुरासुरनरस्त्रैणं, यत्स्याल्लोकेऽतिसुन्दरम् ।।१।। क्षोभार्थं मुनिसङ्घस्य, कदाचिदुपतिष्ठते । अन्यस्यां दिशि संस्थाप्या, सा देवी निष्प्रकम्पता ।।२।। आसक्तिर्मुनिचित्तानां, तस्यामेवोपजायते ।
अतः शरीरसौन्दर्यात्सा गृहीतपताकिका ।।३।। त्रिभिर्विशेषकम् શ્લોકાર્ચ -
કર્યો છે અલંકારનો શણગાર જેણે એવો, અતિસુંદર, સુર, અસુર અને મનુષ્યની સ્ત્રીઓનો સમુદાય, સર્વ યત્ન વડે લોકમાં એક સ્થાનમાં જે થાય, કદાચિત્ મુનિસંઘના ક્ષોભ માટે ઉપસ્થિત થાય, અન્ય દિશામાં તે નિષ્પકંપતા દેવી સ્થાપન કરાય (તો) મુનિઓના ચિત્તની આસક્તિ તે નિષ્પકંપતા દેવીમાં જ થાય છે, આથી તે નિરૂકંપતા દેવી, શરીરના સૌંદર્યથી ગૃહીતપતાકિકાવાળી ગ્રહણ કરાયેલ ધજાવાળી, છે. II૧-૨-3II.
શ્લોક :
रुद्रेन्द्रोपेन्द्रचन्द्राद्याः, कलाकौशलशालिनः । ये चान्ये लोकविख्याता, विद्यन्ते भुवनत्रये ।।४।।